Home » photogallery » જીવનશૈલી » Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

Health Tips: થાક લાગવાને કારણે અને ઊર્જાના સ્તરમાં ઘટાડો થવાને કારણે આ પ્રકારે થઈ શકે છે. દૈનિક દિનચર્યામાં કેટલાક નાના મોટા ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અહીંયા ઊર્જાના સ્તરમાં વધારો કરવા માટે 9 ટીપ્સ આપવામાં આવી છે

  • 19

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    આજકાલ અનેક લોકોને સુસ્તી લાગી રહી છે. થાક લાગવાને કારણે અને ઊર્જાના સ્તરમાં ઘટાડો થવાને કારણે આ પ્રકારે થઈ શકે છે. દૈનિક દિનચર્યામાં કેટલાક નાના મોટા ફેરફાર કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અહીંયા ઊર્જાના સ્તરમાં વધારો કરવા માટે 9 ટીપ્સ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 29

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    પોષણયુક્ત આહાર લેવો- આહાર પ્રણાલીમાં પોષણયુક્ત આહાર શામેલ કરવો જોઈએ. પોષણયુક્ત આહારનું સેવન કરવાથી શરીમાં વિટામિન્સ અને મિનરલ્સની આપૂર્તિ થાય છે. પૌષ્ટીક આહારનું સેવન કરવાથી શરીરમાં ઊર્જાના સ્તરમાં વધારો થાય છે.

    MORE
    GALLERIES

  • 39

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    તણાવ ન લેવો જોઈએ- તણાવ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. તણાવના સ્તરમાં ઘટાડો થાય તો ઊર્જાના સ્તરમાં વૃદ્ધિ થાય છે. આરામ કરવાથી, બહાર ટહેલવાથી, વાંચવાથી, મેડિટેશન કરવાથી તણાવના સ્તરમાં ઘટાડો થાય છે.

    MORE
    GALLERIES

  • 49

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    દારૂનું સેવન ન કરવું- દારૂ પીવાથી ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થાય છે. દારૂ એ મૂત્રવર્ધક તરીકે કામ કરે છે, જેના કારણે રાત્રે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પડે છે. આ કારણોસર દારૂનું સેવન ન કરવું જોઈએ. દારૂનું સેવન બંધ કરવામાં તમને મુશ્કેલી થઈ રહી છે તો તમે સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈને આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકો છો.

    MORE
    GALLERIES

  • 59

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    ધૂમ્રપાન ન કરવું- ધૂમ્રપાનના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. ધુમાડામાં રહેલ ટોક્સિન્સ અને ટારના કારણે ફેંફસાની કાર્યક્ષમતામાં તથા ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. જેના કારણે તમને થાક વર્તાવા લાગે છે. ધૂમ્રપાન છોડી દેવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારે લાભ થાય છે અને ઊર્જાના સ્તરમાં વધારો થાય છે.

    MORE
    GALLERIES

  • 69

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    લોકોની સાથે વાતચીત કરતા રહો- સારા સ્વાસ્થ્ય માટે લોકો સાથે વાતચીત કરતા રહેવું જરૂરી છે. જો લોકો સાથે વાતચીત ના થાય તો વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે અને ઊર્જાના સ્તરમાં ઘટાડો થાય છે. મિત્રો સાથે, સગાસંબંધીઓ સાથે વાતચીત કરવી જોઈએ જેનાથી, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 79

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    હાઈડ્રેટેડ રહો- યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે. યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી બ્રેઈન ફંક્શન, ઊર્જાના સ્તર તથા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. શરીરને યોગ્ય માત્રામાં પાણી મળવું જરૂરી છે. જો તમે ગરમ વાતાવરણમાં રહો છો તો તમારે પાણીનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 89

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    સુગરનું સીમિત માત્રામાં સેવન કરવું- વધુ પડતી સુગરનું સેવન કરવાથી મેદસ્વીતા, ટાઈપ 2 ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી ગંભીર બિમારીઓનું જોખમ વધી શકે છે. આ કારણોસર સુગરનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. જો તમને ગળ્યું ખૂબ જ પસંદ છે, તો તમે ફ્રુટસ અથવા ડ્રાય ફ્રુટ્સનું સેવન કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 99

    Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

    યોગ્ય માત્રામાં ઊંઘ લો- યોગ્ય માત્રામાં ઊંઘ ન લેવાને કારણે ઊર્જાના સ્તરમાં ઘટાડો થાય છે. જેના કારણે બીજા દિવસે સવારે વ્યક્તિ ચિડચિડિયું બની જાય છે. વ્યક્તિએ રાત્રે ઓછામાં ઓછા 7 કલાક ઊંઘ લેવી જરૂરી છે.

    MORE
    GALLERIES