Home » photogallery » જીવનશૈલી » શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

લોકોની જીવનશૈલી બદલતા અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. મોટાભાગનાં લોકો ગેસની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. વડોદરાનાં નક્ષત્ર આયુર્વદમનાં વૈદ્ય ડો. શેફાલી પંડ્યાએ કેટલાક ઉપાયો કહ્યાં છે. તેનાથી ગેસની તકલીફ દૂર થશે.

  • Local18
  • |
  • | Vadodara, India

  • 19

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    Nidhi Dave, Vadodara: આજકાલ બધાની જીવનશૈલીઓ બદલવા લાગી છે. આખું જીવન ફાસ્ટ ફૂડ પર નિર્ભર કરતું હોય છે અને એમાં પણ બેઠી જોબ મળી ગઈ તો પતી જ ગયું. ખાવા પીવાનું અનિયમિત થઈ ગયું છે. ઉપરથી બેઠાડું જીવન, પ્રવૃત્તિમય વસ્તુઓ ન કરવી વગેરે જેવી બાબતો ગેસ અથવા વાયુની સમસ્યાને આવકારે છે.

    MORE
    GALLERIES

  • 29

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    આ વાયુની સમસ્યા કેવી રીતે ઉદભવે છે? અને તેનું નિરાકરણ શું છે? એ વિશે આપણને વિગતવાર માહિતી વડોદરા શહેરના નક્ષત્ર આર્યુવેદમના વૈદ્ય ડો. શેફાલી પંડ્યાએ આપી છે.

    MORE
    GALLERIES

  • 39

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    સૌપ્રથમ ખાવામાં બધા જ કઠોળ, બટાકા બંધ કરી દેવા જોઈએ. એના સિવાય ખારી સિંગ, સિંગદાણા, કાજુ, બદામ, કારેલા જેવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. વધુ માત્રામાં ચા કે કોફીનું પણ સેવન ન કરવુ જોઇએ.

    MORE
    GALLERIES

  • 49

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    દુધી, પરવળ, ગલકા, તુરિયા, રીંગણ, કોળું, દેશી ચોખાના ભાત, ખીચડી ખોરાકમાં લઈ શકાય. શાક બનાવો એમાં લસણ, અજમાનો વઘાર કરવો જોઈએ. આ વઘારમાં ઘીનો ઉપયોગ કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 59

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    ગેસ થવામાં ખોરાક સૌથી મોટો ભાગ ભજવે છે. પરંતુ ફક્ત ખોરાકને કારણે જ ગેસ નથી થતો, બીજા ઘણા પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. જેમકે જમ્યા પછી ચાલવા જવું જોઈએ, સૂર્ય નમસ્કાર આસનો કરવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 69

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    ખાસ કરીને વાયુની સમસ્યા વધુ ઉંમરના લોકોને થતી હોય છે, જેઓ પ્રવૃત્તિમય હોતા નથી અથવા એવા લોકો કે જે ઓફિસ વર્ક કરતા હોય છે. એક જ સ્થળે બેઠા બેઠા આખો દિવસ પસાર કરી દેતા હોય, તો આના કારણે ખોરાક પચે નહીં અને વાયુની સમસ્યાઓ ઉદભવે છે.

    MORE
    GALLERIES

  • 79

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    તદુપરાંત અતિશય ચિંતા કરવી, અતિશય પ્રવાસ કરવો, રાતના ઉજાગરા કરવા, ભૂખ્યા પેટે ફરવું, ખોરાક લીધા વગર કામ કરવું, માનસિક રીતે આખો દિવસ કંઈક ને કંઈક વિચાર્યા કરવું, આ બધી વસ્તુ પણ પેટમાં વાયુનું કારણ બની શકે છે. જે લોકોને વારંવાર વાયુ થતો હોય તો એવા લોકોએ વાસી ખોરાક ન લેવો જોઈએ. ખોરાક ગ્રહણ કરો એ ગરમ હોવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 89

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલો અજમો, એક બે ટીપા સ્વાદ અનુસાર લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, આદુને (આદુની માત્ર ઓછી)એકરસ કરીને ઉકાળવું. અને જ્યારે ચાના એક કપ જેટલું પ્રવાહી બચે, એને ગ્રહણ કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 99

    શું તમારે ગેસની સમસ્યા છે? નિષ્ણાતે બતાવ્યો આ ઉપાય, જાટકે મળશે છુટકારો

    આ પ્રવાહીને લેવાથી વાયુની સમસ્યા દૂર થઈ શકે છે. જેને દિવસમાં બેથી ત્રણ વખત લેવું. આ પ્રવાહીને ગ્રહણ કરવાથી તમને પેટમાં હળવાશ અનુભવાશે, અને ગેસ ઓછો બનશે.

    MORE
    GALLERIES