Home » photogallery » જીવનશૈલી » કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

cavities problems: યોગ્ય રીતે દાંતની કેર ના કરી શકવાને કારણે અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને કેવિટીની સમસ્યામાં દિવસને દિવસે વધારો થતો જાય છે. આ સમસ્યામાંથી તમે છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ આર્યુવેદિક ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

  • 15

    કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

    How to get rid of cavities according ayurveda: મજબૂત, ચમકતા અને હેલ્ધી દાંત દરેક લોકોને ગમતા હોય છે. પરંતુ તમે સમય પર દાંતની કેર કરતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. સમય પર બ્રશ ના કરવો, ખોટી ખાવા-પીવાની આદત, મીઠુ ખાવું અને ઓરલ હાઇજિનનો ખ્યાલ ના રાખવાને કારણે દાંતમાં સડો અને કેવિટીની સમસ્યા થતી હોય છે. દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર અનેક વાર દુખાવો થાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ તમે આર્યુવેદિકની મદદથી પણ કેવિટીમાંથી છૂટકારો મેળવી શકો છો. તો જાણો onlymyhealth માં છાપેલી ખબર અનુસાર આર્યુવેદ વિષયના જાણકાર પવન સિંહ કયા ઉપાયો જણાવે છે.

    MORE
    GALLERIES

  • 25

    કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

    લવિંગ અને તલનું તેલ: લવિંગ અને તલનું તેલ દાંત માટે અનેક રીતે ફાયદાકારક છે. આ તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે દાંતમાં જમા કેવિટીને સરળતાથી દૂર કરવાનું કામ કરે છે. આનો ઉપયોગ કરવા માટ ½ ચમચી તલના તેલમાં 2 થી 3 ટીપાં લવિંગનું તેલ મિક્સ કરો. પછી આ તેલને કોટનની મદદથી કેવિટી પર લગાવો. દરરોજ રાત્રે આ ઉપાય કરવાથી કેવિટીની સમસ્યામાંથી છૂટકરો મળી જાય છે અને તમને મોટી રાહત થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 35

    કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

    લસણ: દાંતનો સડો દૂર કરવા માટે લસણની બેથી 3 કળી લો અને એમાં સિંધવ મીઠું મિક્સ કરો. પછી આ મિશ્રણને કેવિટી પર લગાવો. આમ કરવાથી દાંતના દુખાવામાંથી રાહત થઇ જાય છે. લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ કેવિટીની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.

    MORE
    GALLERIES

  • 45

    કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

    સરસિયાનું તેલ: સરસિયાનું તેલ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર સરસિયાના તેલનો ઉપયોગ કરો. આ માટે બે ચમચી સરસિયાનું તેલ લો અને એમાં સિંધવ મીઠું મિક્સ કરો. પછી દાંતની કેવિટી પર 15 મિનિટ માટે લગાવીને રાખો. ત્યારબાદ દૂર કરો. આમ કરવાથી રાહત થઇ જશે.

    MORE
    GALLERIES

  • 55

    કેવિટી+દાંતના સડામાંથી છૂટકારો મેળવવાની 5 આર્યુવેદિક ટિપ્સ, ક્યારે દવાખાન જવાની જરૂર નહીં પડે

    લીમડો: લીમડો શરીર માટે અનેક રીતે ગુણકારી છે. લીમડાનો ઉપયોગ સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે. દાંતમાં કેવિટીની સમસ્યા થવા પર તમે લીમડાનું દાંતણ કરી શકો છો. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે જે દાંતની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.   (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.) 

    MORE
    GALLERIES