રીંગણને શાકભાજીના રાજા કહેવાય છે. તે હાડકાં મજબૂત કરવાની સાથે સાથે ઓસ્ટિયોપોરોસિસને રોકવા, હાર્ટને સારુ કરવા અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. રીંગણમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામીન એ, બી, સી, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફોરસ જેવા ખનિજ મળી આવે છે. આવી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મેડિકલ ન્યૂઝ ટુડેના જણાવ્યા અનુસાર, રીંગણમાં એંથોસાયનિન અને નાસુનિન જેવા પોષક તત્વો હોય છે. જે મુક્ત કણોથી મસ્તિષ્ક કોશિકાના પરતને નુકસાનથી કક્ષા કરવામાં મદદ કરી શકે છે. કોશિકાઓને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ ન્યૂરોઈન્ફ્લેમેશનને રોકવા અને મસ્તિષ્કમાં રક્ત પ્રવાહને વધારે સારુ કરવાનું કામ કરે છે. જેનાથી મેમોરી લોસ અને ઉંમર સંબંધિત માનસિક બીમારીઓને રોકવામાં મદદ કરે છે. રીંગણ ફાઈટોન્યૂટ્રિએંટ્સનો પણ એક સારો એવો સ્ત્રોત છે, જે માનસિક સ્વાસ્થ્યને વધારવાના કામમાં આવે છે, એટલા માટે તેને બ્રેન ફૂડ પણ કહેવાય છે. રીંગણમાં રહેલા પોટેશિયમ, વેસોડિલેટર અને બ્રેન બૂસ્ટર તરીકે કામ કરે છે.
રીંગણમાં રહેલા ફેનોલિક તત્વ ઓસ્ટિયોપોરોસિસ બીમારીને રોકવા અને બોન્સની ધનત્વતાને વધારે છે. જેનાથી હાડકાનું નિર્માણ સારી રીતે થાયે છે. રીંગણમાં કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવાનું કામ કરે છે. આ ઉપરાંત રીંગણ, ગ્લૂકોમાની સારવાર અને બંધારણમાં મદદ કરે છે. ઉંમર સંબંધિત મૂકુલર અપઘટનને રોકે છે. અંધત્વ અને દ્રષ્ટિ હાનીને રોકે છે. રેટિનામાં રક્ત પ્રવાહમાં સુધારો લાવે છે. તંત્રિકા કોશિકાઓની રક્ષા કરે છે આ ત્વચાની સમસ્યાઓ અને કરચલીઓ તથા દાગ ધબ્બાની સારવાર કરે છે.
રીંગણ હાર્ટ માટે ખૂબ જ સારુ માનવામાં આવે છે. તેમાં બાયોફ્લેવોનોઈડ્સ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. જે બીપીને ઘટાડવા માટે જરુરી છે. આ હાર્ટ ફંક્શનમાં કોઈ પણ પ્રકારના તણાવને ઓછુ કરવા અને હાર્ટને હેલ્ધી બનાવવાનું કામ પણ કરે છે. રીંગણમાં ક્લોરોજેનિક તત્વ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
તે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. હકીકતમાં તેમાં ફાઈબરની ખૂબ ઓછી માત્રા જોવા મળે છે અને ઘુલનશીલ કાર્બોહાઈડ્રેટ ખૂબ ઓછુ હોય છે, જેના કારણે રીંગણ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એક સારુ એવું ભોજન માનવામાં આવે છે. રીંગ શરીરના ગ્લૂકોઝ અને ઈંસુલિનને કંટ્રોલ કરવા અને શુગર સ્પાઈક્સને રોકવામાં મદદ કરે છે.