Mustufa Lakdawala,Rajkot : દરેક સ્ત્રીનું સપનું માતા બનવાનું હોય છે. વાત કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને જલદી પ્રેગનન્સી કન્સિવ થતી હોય છે, તો અનેક લોકોને સમય લાગી જતો હોય છે. લગ્ન પછી માતા બનવાનું સપનું સ્ત્રીઓનું હોય છે. પરંતુ ઘણી મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડતી હોય છે જેના કારણે અનેક ઘણાં કપલ સ્ટ્રેસમાં રહેતા હોય છે. આ વાત ઘણી સ્ત્રીઓ માટે ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. ગર્ભવતી થવા માટે માત્ર ફિઝિકલ રિલેશન જ નહીં, પરંતુ બીજી અનેક વાતો પણ જરૂરી હોય છે.
ઘણા એવા કપલ્સ હોય છે કે જેના કેસમાં મહિલાઓને કનસિવ થવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને છેલ્લે તેઓ IUI અને IVF જેવી ખર્ચાળ પદ્ધતિઓ અપનાવે છે. ત્યારે રાજકોટના ફર્ટીલીટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંજય પટોડિયા કે જેઓ આયુર્વેદિક ડોક્ટર છે.તેઓ આયુર્વેદિક પદ્ધતિથી ઓછા ખર્ચે સારવાર કરી આપે છે અને એ પણ ગેરેન્ટેડ રિઝલ્ટ સાથે. ત્યારે આવો આપણે રાજકોટના ડોક્ટર સંજય પટોડિયા પાસેથી જ આ મામલે થોડી માહિતી મેળવીએ.