Ganesh Chaturthi 2020 : ગણેશ ચતુર્થીનો તહેવાર 10 સપ્ટેમ્બર, શુક્રવારથી દેશભરમાં શરૂ થઇ રહ્યો છે. ગણપત્યથર્વશીર્ષમાં લખવામાં આવ્યુ છે કે, જે ભક્ત ગણેશજીને (Ganesh Prasad) એક હજાર મોદકનો (Modak) ભોગ ચઢાવે છે, તેમણે ગણેશજી ઇચ્છે તે ફળ પ્રદાન કરે છે અને તે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આપણે એક હજાર તો નહીં પરંતુ સારી ભાવના સાથે જેટલા પણ મોદક ભગવાન ગણેશને ચઢાવીશું બાપ્પા ચોક્કસ ખુશ થશે. તો આજે આપણે ગણપતિ દાદાના પ્રસાદમાં 'તળેલા મોદક' (fried Modak) બનાવતા શીખીએ.
ત્યાર બાદ એક તપેલામાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે ધીરે મેંદો નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો. થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા-લૂવા બનાવતા જવા.