Home » photogallery » જીવનશૈલી » દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

આવા સમયમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ કામ જેથી શરદી ઉધરસ પણ ઓછા થઇ જશે અને બોડીની ઇમ્યુનિટી પણ વધશે.

विज्ञापन

  • 15

    દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોના વાયરસનો પ્રકોપ વધી ગયો છે અને દિવાળીમાં ખુબ બધી મીઠાઇઓનું સેવન થઇ ગયુ છે ત્યારે ઘણાં લોકોને શરદી ઉધરસની સમસ્યા થઇ જાય છે અને આ મહામારીનાં સમયમાં સામાન્ય શરદી ઉધરસ કફ હોય તો પણ કોરોના તો નહીં હોય ને તેવો ડર લાગે છે. તેથી જો શરદી, કફ, ઉધરસની સમસ્યા સતાવતી હોય છે. આવા સમયમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ કામ જેથી શરદી ઉધરસ પણ ઓછા થઇ જશે અને બોડીની ઇમ્યુનિટી પણ વધશે.

    MORE
    GALLERIES

  • 25

    દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

    સૂંઠ અને ગંઠોળાની ગોળી- આવા સમયમાં જો સૂંઠ અને ગંઠોળાની ગોળીઓ બનાવી રાખવામાં આવે. ગોળ ઘી અને સૂંઠ અને ગંઠોળાની ગોળીઓ બનાવી તેનું દરરોજ સેવન કરવું. દરરોજ સવારે એક ગોળી ખાઇ લેવી. લખોટીની સાઇઝની ગોળી બનાવી. તેને દરરોજ ખાવાથી ઇમ્યૂનિટી વધે છે.

    MORE
    GALLERIES

  • 35

    દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

    હળદર-એન્ટી ઓકિસડન્ટ અને એલર્જીમાં ખુબજ ઝડપથી હળદર તમારા શરીરને સક્ષમ બનાવે છે. હળદર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગરમ દૂધમાં એક ચમચી હળદર ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે.

    MORE
    GALLERIES

  • 45

    દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

    તુલસી- એન્ટિ-વાયરલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સાથે તુલસી ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે, તે ઘણા રોગોની સારવાર છે. તે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીના પાન ખાલી પેટ પર લેવું ખૂબ ફાયદાકારક છે. દરરોજ તુલસીના 5 પાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત ત્રણથી ચાર કાળા મરીના દાણા ચાવવાથી પણ ફાયદો થશે. તમને જો તેનો સ્વાદ ન ભાવે તો તમે મધનું સેવન કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 55

    દિવાળીમાં મીઠાઇઓ ખાઇને થઇ ગઇ છે શરદી ઉધરસ તો કરો આ વસ્તુઓનું સેવન

    અળસી- અળસીના નાના બી તમને ઘણા રોગોના જોખમથી બચાવે છે. આ તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને કેન્સર જેવા જીવલેણ રોગના જોખમથી પણ બચાવે છે. તે તમારા હૃદય અને મનને સ્વસ્થ રાખે છે. તેમાં એન્ટી-એલર્જિક સિલિયમ અને ઓમેગા -3 ફેટી એસિડ્સ શામેલ છે. એક ચમચી અળસીના બીજ ગરમ દૂધ સાથે પીવાથી અથવા તેને કચુંબર અથવા દહીં સાથે ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

    MORE
    GALLERIES