Home » photogallery » જીવનશૈલી » ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

Blood Sugar Control : જો ડાયાબિટીસ હોય તેવી મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે તો તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, શું ખાવું, કેવી રીતે ઉપવાસ ખોલવો વગેરે. ચાલો તમને જણાવીએ કે વ્રત તોડતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • 18

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    Karwa Chauth Vrat: કરવા ચોથ વ્રતની સાથે સાથે હવે એક ટ્રેન્ડ બની ચુક્યું છે. કેટલાંક લોકો તેને પ્રેમનું પ્રતીક માને છે અને આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. જ્યારે કેટલાંક લોકો તેને પિતૃસત્તાત્મક માને છે અને આ પ્રકારના કોઇ વ્રતને નથી માનતા. પરંતુ આપણી મા, દાદી અથવા સાસુના વિચાર આનાથી અલગ હોઇ શકે છે. આપણે તેને ઓલ્ડ જનરેશન કહીએ છીએ, તેઓ કારણ-અકારણ કેટલીક વસ્તુઓ સાથે બંધાયેલા રહે છે. કરવા ચોથ વિશે પણ કંઇક આવું જ છે.

    MORE
    GALLERIES

  • 28

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    કરવા ચોથનું વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. આ વ્રતનો સમયગાળો ઘણો લાંબો હોય છે. આ સૂર્યોદય સાથે શરૂ થાય છે અને ચાંદ નીકળ્યા બાદ સંપન્ન થાય છે. આમ તો સમય સમય પર વ્રત રાખવાથી બૉડી ડિટોક્સ થાય છે, પરંત જો તમને કોઇ બીમારી હોય તો આ વ્રત તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કોઇ લાંબા સમયનું વ્રત રાખવું યોગ્ય નથી. તેનાથી તેનું બ્લડ શુગર લેવલ વધવા અથવા ઘટવાનું જોખમ રહે છે.

    MORE
    GALLERIES

  • 38

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    આ અંગે ડાયેટિશિયનનું કહેવું છે કે, જો ડાયાબિટીસ હોવા છતાં ઉપવાસ રાખો છો, તો હાઇપોગ્લાઇસીમિયાનું જોખમ રહે છે. તેથી ડાયાબિટીસ હોય તેવી મહિલાઓએ કરવા ચોથનો નિર્જળા ઉપવાસ ન રાખવો જોઇએ કારણ કે તેનાથી તેમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. વ્રત તોડતી વખતે મહિલાઓ મોટાભાગે ફેટ, કાર્બોહાઇડ્રેટ અને કેલરીથી ભરપૂર ભોજનનું સેવન કરે છે. તેથી ભોજનનું સેવન કરવાથી હાઇપરગ્લેસેમિયાનું લેવલ વધી જાય છે અને ગ્લાઇસેમિક ઇંડેક્સ પર પ્રભાવિત થાય છે. તેથી તમારા ડાયેટમાં કેટલાંક બદલાવ કરીને ડાયાબિટીસથી ગ્રસ્ત મહિલાઓ આ ઉપવાસ રાખી શકે છે.

    MORE
    GALLERIES

  • 48

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    ડાયાબિટીસમાં કરવા ચોથનું વ્રત રાખવાની ટિપ્સ : આ રીતે કરો વ્રતની શરૂઆત - આ વ્રતમાં મહિલાઓ સવારના સમયે સરગીનું સેવન કરે છે. તો એ વાતનું ધ્યાન રાખે કે તમારી સરગીમાં પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ સામેલ હોવું જોઇએ. કારણ કે આખો દિવસ તમને સરગીથી એનર્જી મળે છે. પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરપૂર મહેસૂસ કરાવશે.

    MORE
    GALLERIES

  • 58

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    વ્રત તોડતી વખતે આ વાતનું રાખો ધ્યાન - ઉપવાસ તોડતી વખતે હંમેશા યાદ રાખો કે સૌથી પહેલા પોતાને હાઇડ્રેટ કરો અને લાઇટ ફૂડ જ ખાઓ. આખો દિવસ વ્રત રાખ્યા બાદ તમારા બૉડીમાં પાણીથી કમી થઇ જાય છે. તેથી હાઇડ્રેટ કરવા માટે લીંબુ પાણી અથવા તાજા ફળના જ્યુસનું સેવન કરો. ભોજનમાં વધુ મસાલા અને વધુ તેલવાળી વસ્તુઓ ખાવાના બદલે પ્રોટીનથી ભરપૂર વસ્તુ લો. જેનાથી તમારા શરીરમાં આવતી નબળાઇ દૂર થઇ જાય. તમારા ડાયેટમાં લીલા શાકભાજી, દાળ, રોટલી અને દહીં લઇ શકો છો.

    MORE
    GALLERIES

  • 68

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    આખો દિવસ તરસ્યા ન રહો - જો કે આ વ્રત નિર્જળા છે, પરંતુ જો તમને ડાયાબિટીસ છે તો આ તમારા માટે યોગ્ય નથી. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા પર રાખો અને આખો દિવસ તરસ્યા ન રહો. દિવસમાં એક અથવા બે વાર લિક્વિડ ડાયેટ જરૂર લો.

    MORE
    GALLERIES

  • 78

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    દવા લેવાનું ભૂલશો નહીં - કોઇપણ ઉપવાસ તમારા સ્વાસ્થ્ય કરતા વધારે નથી. જો તમારુ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટેની જરૂર હોય તો તમારી દવા લેવાનું ભૂલશો નહીં. બ્લડ શુગર લેવલ કંટ્રોલ રાખવા માટે આ ખૂબ જ જરૂરી છે કે તમે તમારી દવા લેતા રહો.

    MORE
    GALLERIES

  • 88

    ટિપ્સ : ડાયાબિટીસ હોય તો મહિલાઓ આ રીતે તોડે કરવા ચોથનું વ્રત, નહીં આવે નબળાઇ કે નહીં વધે શુગર લેવલ

    તમારા સ્વાસ્થ્યને જોખમમાં મુકીને કોઇ આસ્થાને પૂરી કરવી યોગ્ય નથી. તેથી મહિલાઓને ખાસ કરીને જેમને ડાયાબિટીસ છે અથવા કોઇ અન્ય બીમારી છે, તેમણે એક સ્વસ્થ અને યોજનાબદ્ધ રીતે આ વ્રત રાખવું જોઇએ.

    MORE
    GALLERIES