લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી એવી ખાવાની ચીજો હોય છે, જેને રાતે પલાળીને સવારના સમયે ખાવાથી લાભદાયક સાબિત થાય છે. સવારના સમયે તેને ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે. એટલું જ નહીં આ બધી ચીજોનું સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત થાય છે. તો ચાલો જાણીએ એવી તે કઈ ચીજ છે જે સવારના સમયે ખાવી ઉત્તમ માનવામાં આવે છે.
કિસમિસ- કિસમિસની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન ઉચ્ચ માત્રામાં મળી આવે છે. રોજ કિસમિસ ખાવાથી ઘણા પ્રકારના રોગ શરીરને થતા નથી. એટલું જ નહીં સવારના સમયે કિસમિસ ખાવાથી ત્વચા ઉપર પણ અસર પડે છે અને ત્વચામાં ચમક રહે છે. તે સિવાય કિસમિસ ખાવાથી એનેમિયાની સમસ્યા દૂર થાય છે અને કિડની સ્ટોનના દર્દીઓ માટે પણ કિસમિસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.
બદામ અને અખરોટ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અખરોટ ખૂબ જ લાભદાયક હોય છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ જો દરરોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા બદામ અને અખરોટ ખાય છે તો તેમને આ બંને ઘાતક બિમારી માંથી રાહત મળે છે. બદામ અને અખરોટ પર કરવામાં આવેલ ઘણા અધ્યયનમાં આ વાત સાબિત થઈ ચૂકી છે.