Home » photogallery » kutchh » કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

રાપરથી અંદાજિત 30 જેટલા શ્રમજીવી લોકો પોતાના ઓજાર અને રાસન સામગ્રી સાથે મજૂરી કામે બોલેરો જીપમાં જવા નીકળ્યા હતા. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી.

  • 15

    કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

    મેહુલ સોલંકી, ભુજઃ ગુજરાતમાં (Gujarat) વરસાદી માહોલ છવાયેલો છે અને ઠેકઠેકાણે વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે રસ્તાઓ ભીના થવાથી અકસ્માતની (accident) ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના કચ્છના (Kutch) રાપર (Rapar) નજીક ઘટની હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર (Jeet and ST bus accident) અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલહ વાહનો મારફતે સરકારી હોસ્પિટલ (Government hospital) લઈ જવાયા હતા.

    MORE
    GALLERIES

  • 25

    કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

    ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપર નજીક ભૂજ રાપર રૂટની એસટી બસ આજે શનિવારે સવારે 06 વાગ્યે ભુજથી ઉપડ્યા બાદ રાપરથી 07 કિમી. દૂર નિલપર બદરગઢ વચ્ચેના માર્ગે એક બોલેરો જીપ સાથે અથડાઈ પડી હતી. જેમાં જીપના ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીપમાં 30 મજૂરો સવાર હતા. જેમાંથી 25 જેટલા મજૂરોને રાપરની સરકારી દવાખાને 108 અને સેવાભાવી લોકોના વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી અમુક વ્યક્તિઓની હાલત નાજુક હોય તેવા અહેવાલો મળી રહ્યાં છે. આ પૈકી 15 જેટલા લોકોને વધુ સારવાર માટે રાપરથી ભુજ અને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

    ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એસટી બસના ચાલકની અટકાયત કરવામાં આવી છે. રાપરથી અંદાજિત 30 જેટલા શ્રમજીવી લોકો પોતાના ઓજાર અને રાસન સામગ્રી સાથે મજૂરી કામે બોલેરો જીપ (નં. GJ-12-BV-3397)માં જવા નીકળ્યા હતા. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી.

    MORE
    GALLERIES

  • 55

    કચ્છઃ રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે થઈ જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 લોકો ઈજાગ્રસ્ત

    આ ઘટનામાં એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાનું માલુમ પડ્યું હતું, જેના કારણે બસમાં સવાર અંદાજીત 4થી 5 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. જે તમામ લોકોને 108 મારફતે હોસ્પિટલે ખસેડવા આવ્યા હતા.

    MORE
    GALLERIES