Home » photogallery » kutchh-saurastra » સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

Surendranagar Murder : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના નારીચણા ગામે ખેલાયો ખૂની ખેલ, દશરથ ઠાકોર નામના યુવકની કરપીણ હત્યા

विज्ञापन

  • 17

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (SurdendraNagar) જીલ્લામાં હત્યા, મારામારી, લૂટ, ફાયરીંગ, જુથ અથડામણ જેવા ઘટનાઓ સામાન્ય બની છે ને પોલીસ સબ સલામતના દાવાઓ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા (Narichana Village)) ગામે દશરથભાઇ કાળુભાઇ ઠાકોર (Dashrath Thakor) નામના એક યુવકને એક યુવતી સાથે આડા સંબંધ હોઇ મોબાઇલમાં વાત કરતા હોવાનો વહેમ રાખી ત્રણ આરોપીઓએ કડી વાળી લાકડીઓ અને હથોડાથી હુમલો કરી રામ (Murder) રમાડી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

    MORE
    GALLERIES

  • 27

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    ધ્રાગધ્રા તાલુકાના નારીચણા ગામે રહેતા 30 વર્ષના યુવક દશરથભાઇ કાળુભાઇ ઠાકોરને ગામના ત્રણ યુવકો આરોપી (1) સુરેશ વિહાભાઇ (2) લાલાભાઇ વિહાભાઇ (3) વિક્રમભાઇ રામાભાઇ ભરવાડ રાતના 12 વાગ્યે ઘરે આવી કામ હોવાનુ કહી મોટર સાયકલ પર લઈ ગયા હતા

    MORE
    GALLERIES

  • 37

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    નદીના પટ્ટમાં લઈ જઈ અને મરણ જનાર દશરથભાઇ ઠાકોર સાથે તુ કેમ અમારી બહેન સાથે મોબાઇલમાં વાતો કરે છે તેમ કહી ઝગડો કરી અને ત્રણેય આરોપીઓ દશરથ ઠાકોર પર કડી વાડી લાકડી અને હથોડાથી ઉપરા છાપરી ઘા કરી અને માર મારી અને પરત દશરથના ઘર બાહાર ઉતારીને ફરાર થયા હતા. (મૃતક)

    MORE
    GALLERIES

  • 47

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    જેથી દશરથના ઘરના સભ્યો સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા દશરથને મૃત જાહેર કર્યા હતા. જેથી આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલમાં પોહોચી લાશનું પી.એમ.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને નારીચણા ગામમાં કોઈ અનિચ્નિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 57

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે આડા સંબંધોની આશંકામાં આ યુવકને બોલાવી અને તેને કડી વાળી લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવક દશરથને ગંભીર ઈજાઓ થઈ હતી. દરમિયાન તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની તજવી શરૂ કરવામાં આવી છે અને અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    મરનાર દશરથના ભાઇની દશરથને ઘરથી અપરહણ કરી લઇ જવાની અને લાકડી અને હથોડાથી હુમલો કરી મર્ડર કરવાની ફરીયાદ નોંધી અને આરોપીઓ (1) સુરેશ વિહાભાઇ (2) લાલાભાઇ વિહાભાઇ (3) વિક્રમ રામાભાઇ ભરવાડને ઝડપવા જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓ સુધી પોહોચવા ચક્રો ગતિમાન કરેલ છે. પરંતુ નાના એવા ગામમાં હાલ ટેકનોલોજીના યુગમાં એક યુવતી સાથે મોબાઈલમાં વાતો કરવી ભારે પડી હતી અને પોતાનો જીવ ખાવાનો વારો આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 77

    સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

    યુવકને યુવતી સાથે આડા સંબંધો છે અને મોબાઇલમાં વાતો કરે છે તેવો લહેમ રાખી આરોપીઓ યુવકને ઢોરમાર મારી રામ રમાડી દેતા હાલ તો તેઓ પણ હવે જેલની હવા ખાવાનો વારો આવશે. પરંતુ કહેવાય છે ને આડા સંબધોનો બુરો અંજામ જ આવતો હોઇ છે. તેમ યુવકને યુવતી સાથે સંબધ રાખવામાં મોત મળ્યુ તો યુવતીના પરિવારજનોએ હવે જેલના સળીયા ગણવા પડશે. પરંતુ હવે પોલીસ આરોપીઓને ક્યારે ઝડપે છે ને આરોપીઓ શુ કબુલાત આપે છે તેમજ કાયદો આરોપીઓને એક યુવકની હત્યા માટે શુ સજા આપે છે તે જોવુ રહ્યુ.

    MORE
    GALLERIES