અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસ (coroanvirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ગરીબ માણસોથી લઈને હોલિવૂડ સ્ટાર્સ (hollywood stars), રાજકીય નેતાઓ પણ કોરોના વાયરસથી અળગા રહી શક્યા નથી. ત્યારે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ (Amit shah) પણ કોરોના પોઝિટિવ (corona positive) છે. તેઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમિત શાહ માટે ચાહકો ભગવાનને દુઆ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે સાળંગપુરમાં (Salangpur temple) મારુતિ યજ્ઞ (Maruti yagna) યોજાયો હતો.
મળતી માહિતી પ્રમાણે સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મારુત યજ્ઞ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવ્યો હતો. અમિત શાહને કોરોના વાયરસમાંથી ઝડપથી સાજા થઈ જાય તે માટે મારુતિ યજ્ઞ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.