Home » photogallery » kutchh-saurastra » હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

Halvad wall collapse: આ બનાવ બન્યો ત્યારે મૃતકો દીવાલ નજીક પેકિંગનું કામ કરી રહ્યા હતા. આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેના પરથી ત્યાંની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

  • 18

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    મોરબી: હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટ (Sagar Salt) નામના મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર લોકોમાં 13 વર્ષથી લઈને 54 વર્ષના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઘટના પ્રત્યે પીએમ મોદી (PM Modi)એ પણ સંવેદના વ્યક્ત કરી છે. આ બનાવમાં મોતને ભેટેલા લોકોના નજીકના સગાને પીએમ રાહત નિધિ ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે પ્રત્યેક મૃતકને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. આ બનાવ બન્યો ત્યારે મૃતકો દીવાલ નજીક પેકિંગ (Salt packing work)નું કામ કરી રહ્યા હતા. આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેના પરથી ત્યાંની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

    MORE
    GALLERIES

  • 28

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    મળતી માહિતી પ્રમાણે સાગર સોલ્ટ કારખાનામાં બપોરના 12 વાગ્યા આસપાસ દીવાલ તૂટી પડી હતી. દીવાલ તૂટી ત્યારે ત્યાં શ્રમિકો પેકિંગનું કામ કરી રહ્યા હતા. એવા પણ અહેવાલ છે કે બપોરનો સમય હોવાની અનેક શ્રમિકો જમવા માટે ગયા હતા. આ જ કારણે જાનહાની ઓછી થઈ છે. નહીં તો મૃત્યાંક ખૂબ મોટો થઈ શકતો હતો.

    MORE
    GALLERIES

  • 38

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    બનાવ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ ઘટના સ્થળે દોડી ગયા છે. સ્થાનિક ધારાભ્યો અને તાલુકા, તેમજ જિલ્લાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. દીવાલ પડવાની ઘટના બન્યા બાદ સ્થાનિકોએ જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કાટમાળ ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 48

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    હળવદની ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકાના પરિવારજનોને પીએમ નિધિ રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાલ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયાના રાહતની જાહેરાત કરી છે.

    MORE
    GALLERIES

  • 58

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતે GIDCમાં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

    MORE
    GALLERIES

  • 68

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    દીવાલ પડતાની સાથે જ સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 78

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    બચાવ કામગીરી માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 88

    હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

    દીવાલની બાજુમાં મીઠાની થેલીઓનો ખડકલો કરવામાં આવ્યો હોવાથી દીવાલ તૂટી પડ્યાનો અંદાજ.

    MORE
    GALLERIES