દિનેશ સોલંકી, ગીર સોમનાથ: કહે છે કે વિઘિના લખેલા લેખ કોઇ બદલી શકતુ નથી... તેમ ભગવાનએ ભાગ્યમાં લખેલી જીવનસાથી સાત સંમુદર દુર હોય તો પણ કોઇને કોઇ રીતે તેનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરીણામી દાંપત્ય (love marriage) જીવન સુઘી પહોચ્યાનો કીસ્સો ગીર પંથકમાંથી સામે આવ્યો છે. જે અંગે તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહીર કે જેને ફેસબુક સાઇટ (facebook) થકી સાત સમુદંર પાર અમેરિકા સ્થિત યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે.
પોતાની સ્ટોરી અંગે બલદેવ આહીર જણાવેલ છે કે, તેઓએ બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો (MBA london) અભ્યાસ કર્યો છે. 2014 માં લંડનથી પરત સ્વદેશ આવ્યા બાદ અહીં જોબ કન્સ્લટન્સીનો વ્યવસાય કરૂ છું. વર્ષ 2019 ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમ્યાન અમેરિકા (America) સ્થિત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્ટ એકસેપ્ટ કરતા મેસેન્જરમાં મેસેજ કરેલ જેનો રીપ્લાય આવતા અમારા વચ્ચે સામાન્ય વાતચીતનો દોર શરૂ થયો હતો.
આ વાતચીત દરમ્યાન અમો બંન્નેને એકબીજા ઉપર લાગણી બંઘાઇ હતી. જેમાં યુવાને સામેથી તેમના પ્રત્યે રહેલી પ્રેમની લાગણી વ્યકત કરી હતી. ત્યારે તેણીએ મારી રહેણી-કહેણી, કલ્ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો. ત્યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણીએ તેની મારા પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી. બાદમાં અમો બંન્નેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી.
ત્યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે મારી વાત કરાવેલ જે સકારાત્મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલીઝાબેથએ મારી સાથે લગ્ન કરવાનું નકકી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને મૈ સ્વીકારતા પ્રથમ નિયમ મુજબ અમો બંન્નેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલીઝાબેથએ અત્રે આવી હિન્દુવિઘિ મુજબ લગ્ન કરવાનો આગ્રહભરી વિનંતી કરી હતી.
જેને પણ સહજતાથી સ્વીકારી અમોએ ગીર ખાતે થોડા સમય પૂર્વે અમો બંન્નેએ આપણી હિન્દુ સંસ્કૃત મુજબ વિઘિ વિઘાનથી લગ્ન કર્યા હતા. વઘુમાં યુવક બલદેવએ આહીર જણાવેલ કે, અમો બંન્નેએ પોતાની પ્રેમની લાગણી વ્યકત કરી હતી. ત્યારબાદ મારી માતા તથા બહેનને અમારી પ્રેમ કહાનીની સંપૂર્ણ વાત કરી હતી. જેથી મારા પરીવારજનોએ એલીઝાબેથ સાથે વાતચીત કરેલ ત્યારે તેઓ પ્રભાવિત થઇ લગ્ન કરવાની સહમતિ આપી હતી.
જે અમારી મિત્રતા પ્રેમ સુઘી પહોંચેલ ત્યાંથી દાંપત્ય જીવન સુઘી પહોંચવામાં ટર્નીગ પોઇન્ટ સાબિત થઇ હતી. આ અંગે યુવકના બહેન નિર્મળાએ જણાવેલ કે, અમોને વાત કરેલ ત્યારે અમોએ એક જ વાત કહેલ કે તારી ખુશીમાં અમારી ખુશી છે. જયારે અમોએ એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્યારે તેણીએ પ્રથમ પ્રશ્ન કરેલ કે હું તારી સાથે લગ્ન કરી તને અમેરિકા લઇ જાવ તો તારી માતાનું શું? જે સવાલએ તેણીમાં રહેલી અખૂટ લાગણીઓનો પરીચય કરાવતા અમોએ લગ્ન માટે સહમતિ આપી હતી. એલીઝાબેથમાં પરીવાર ભાવનની લાગણી અપરંપાર છે જેની અમોને અનુભુતિ થઇ રહી છે.