Home » photogallery » kutchh-saurastra » શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

Shravan last Day: આજે અમાસને  દિવસે પ્રાચી તીર્થમાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. ભાદરવી અમાસનાં નામે ઓળખાતી આ અમાસે પ્રાચીનાં પીપળે પાણી રેડવાનું અને પિતૃ તર્પણ કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે.

विज्ञापन

  • 16

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    દિનેશ સોલંકી, સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ આખા રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આજે અમાસને  દિવસે પ્રાચી તીર્થમાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. ભાદરવી અમાસનાં નામે ઓળખાતી આ અમાસે પ્રાચીનાં પીપળે પાણી રેડવાનું અને પિતૃ તર્પણ કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે.

    MORE
    GALLERIES

  • 26

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    પ્રાચી તીર્થમાં આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કારણ કે, આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસને કારણે અહીં પિતૃ કાર્ય માટે શુભ સ્થળ માનવામાં આવે છે. કારણ કે, પ્રાચી ગામમાં ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ્દ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને લઈને હજારો લોકો પિતૃતર્પણ માટે પ્રાચી આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચીનાં પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું. કહેવાય છે કે, 'સો વાર કાશી અને એક વાર પ્રાચી'. સો વખત કાશી વિશ્વનાથનાં દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અહીં એકવાર દર્શન કરવાથી થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    પ્રાચીમાં માધવરાયજી ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં માત્ર એક જ વખત દર્શન કરી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી જન્મો જન્મનાં પાપોનો નાશ થાય છે. અહીંના પીપળે પાણી રેડી દર્શન કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે. આથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

    MORE
    GALLERIES

  • 56

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    તમામ પ્રકારની ગ્રહ દશાનું નિવારણ થાય છે. વિદ્વાન પંડિતો દ્વારા શ્રદ્ધાળુઓને અહીં પિતૃ તર્પણ કરાવવામાં આવે છે. અહીંનાં પીપળામાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. અહીં પિતૃ તર્પણ કરાવવાથી તમામ પિતૃઓનો મોક્ષ થાય છે.

    MORE
    GALLERIES

  • 66

    શ્રાવણના છેલ્લા દિવસે ગુજરાતના આ ગામમાં પિતૃ તર્પણનું છે અનેરું મહત્ત્વ, સમજો ઐતિહાસિક મહત્ત્વ

    આથી જ આ પીપળાને મોક્ષ પીપળો કહેવામાં આવે છે. ભાવિકોને શાતા મળે છે. ત્યારે આજે મોટી અમાસને કારણે ગુજરાત સહિત દેશ ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રાચી તિર્થે ગત રાત્રિથી જ ઉમટી રહ્યા છે. અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

    MORE
    GALLERIES