Home » photogallery » kutchh-saurastra » ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

ગીર સોમનાથમાં સિંહનો હુમલો થયાની ઘટના બની છે. જેમાં સિંહોએ એક નહીં પણ 70 જેટલા બકરાંને મોતને ઘાટ ઉતાર્યા છે.

विज्ञापन

  • 15

    ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

    સામાન્ય રીતે વન્ય પ્રાણીઓના વસવાટ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં પ્રાણીઓના મનુષ્ય ઉપર હુમલા થવાના કિસ્સાઓ છાસવારે બને છે. વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં માનવ વસવાટમાં આવી ચડે છે. અને જે નજરમાં આવે એનો શિકાર કરતા હોય છે. ગીર સોમનાથમાં સિંહનો હુમલો થયાની ઘટના બની છે. જેમાં સિંહોએ એક નહીં પણ 70 જેટલા બકરાંને મોતને ઘાટ ઉતાર્યા છે. જેના પગલે ગામના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાથે સાથે વન વિભાગના અધિકારીઓને પણ આ અંગે જાણ કરાતા તંત્ર દોડતું થયું હતું. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)

    MORE
    GALLERIES

  • 25

    ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

    મળતી માહિતી પ્રમાણે ગીરસોમનાથ જીલ્લાના ડારી ગામમાં રવિવારે રાત્રે શિકારની શોધમાં સિંહોનું ટોળું ધસી આવ્યું હતું. ટોળું ફરતું ફરતું બકરાઓના વાડામાં ઘૂસી ગયું હતું જ્યાં રાખેલા બકરાઓ ઉપર હુમલો કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

    આમ સિંહોના ટોળાએ એક પછી એક એમ 70થી વધારે બકરાંઓનો શિકાર કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

    બકરાંઓના અવાજથી માલિક જાગી ગયા હતા અને ગ્રામલોકો પણ ભેગા થયાં હતા.

    MORE
    GALLERIES

  • 55

    ગીર સોમનાથઃ સિંહોના ટોળાએ એક સાથે 70થી વધુ બકરાંને ફાડી ખાધા

    સિંહોના ટોળાના હુમલાના પગલે ગ્રામ લોકોમાં ભય ફેલાયો હતો. અને આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES