Home » photogallery » kutchh-saurastra » ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

Road Accident Case : સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવે (Somnath Bhavnagar Highway) ના, જ્યા કોડીનાર (Kodinar) ના માલગામ (Malgham) નજીક ગત 26 એપ્રિલે રાત્રે મનસુખ જાદવ સોલંકી નામનો યુવાન દીવ હોટલમાંથી નોકરી કરી કોડીનાર તરફ આવી રહ્યો હતો. અને તે સમયે તેનું હાઇવે પર મોત (Road Accident Death) થયું

  • 16

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ : સોમનાથ (Somnath) ભાવનગર (Bhavnagar) ફોરટેક હાઇવે (Highway) પર માલગામ (Malgham) નજીક અકસ્માતે યુવાનના મોત (Road Accident Death) બાદ પરિવારજનોએ હાઇવેના જવાબદાર અધિકારી સામે પોલીસમાં ફરિયાદ (Police FIR) કરવા અરજી કરી.

    MORE
    GALLERIES

  • 26

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    પ્રાપ્ત માહિતી અનુસાર, સોમનાથ ભાવનગર ફોરટેક હાઇવેના, જ્યા કોડીનારના માલગામ નજીક ગત 26 એપ્રિલે રાત્રે મનસુખ જાદવ સોલંકી નામનો યુવાન દીવ હોટલમાંથી નોકરી કરી કોડીનાર તરફ આવી રહ્યો હતો. અને તે સમયે તેનું હાઇવે પર મોત થયું છે. આ યુવાન સાથે અન્ય એક કિશોર પણ સવાર હતો. ગીર ગઢડાના સોનપરા ગામના યુવાન મનસુખ ભાઈના મોત બાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હાઇવે પરની લાપરવાહીના કારને યુવાનનું મોત નીપજ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    પરિજનોના જણાવ્યા મુજબ ફોરટેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે અને હાઇવેની વચ્ચે માટીનો ઢગલો કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં બેરીકેટ કે અન્ય ચિહ્નન ન રખાયા હોવાના કારણે યુવાનની બાઇક માટીના ઢગલા પર ચડી જતા ઉછલીને પટકાયો અને મોતને ભેટ્યો. જેના જવાબદાર હાઇવે અધિકારી અને કોન્ટ્રાકટર છે.

    MORE
    GALLERIES

  • 46

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    જયારે અક્સ્માત બાદ સમગ્ર મામલે મૃતક યુવાનના પત્નીએ કોડીનાર પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે કે, તેમના પતિ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાકટરની લાપરવાહીના કારને મોતને ભેટ્યા છે. જેથી તેમના સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

    MORE
    GALLERIES

  • 56

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    મૃતકના પરિવારના વકીલના જણાવ્યા મુજબ જે સમયે અકસ્માત થયો ત્યારે બેરીકેટ કે સૂચન ચિહનો ન હતા, જેના પુરાવાના ભાગ રૂપે અમે વીડિયો બનાવ્યો, પરંતુ હવે ત્યાં રાતોરાત બેરીકેટ મૂકી આખો મામલો રફેદફે કરવામાં આવી રહ્યો છે. હાઇવેનું કામ કરી રહેલી કંપનીના લોકોને જાણ થતા હવે ત્યાં બેરીકેટ મુકાયા છે. અને છેલ્લા ઘણા વર્ષથી ગોકુળ ગતિએ ચાલતા કામના કારણે અનેક લોકોએ આ રોડ પર પોતાનો જીવ પણ ગુમાવ્યો.

    MORE
    GALLERIES

  • 66

    ગીર સોમનાથ : અકસ્માતમાં યુવાનનું મોત, પરિવારે હાઈવે ઓથિરીટી, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કરી અરજી, જુઓ શું છે મામલો?

    જોકે હાલ તો પોલીસે મહિલાની ફરિયાદની અરજી લીધી છે. અને હજુ સુધી એફઆરઆઈ દાખલ કરાય નથી. પરંતુ આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ માં આકાર પામવાનો હાઇવે 5 વર્ષે પણ કામ પત્યું નથી. અને નેશનલ હાઇવે પણ ખખડધજ હોવાના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES