દિનેશ સોલંકી, ગીરસોમનાથ : અરબી સમુદ્રમાં વાવાઝોડું tauktae સક્રિય અને વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.18મેના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ પોર્ટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જોકે, પોરબંદર અને મહુવાની વચ્ચે સંભવિત ત્રાટકનાર વાવાઝોડાની સૌથી માઠી અસર ગીરસોમનાથ જિલ્લાને થશે
ગીરસોમનાથના જિલ્લા કલેક્ટરે ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે વાવાઝોડાની સંભાવનાઓને જોતા તંત્રએ પૂરતી તૈયારી કરી છે. અમને સરકાર તરફથી 8000 એન્ટિજન ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે જ્યારે 10,000 કીટની અલગ વ્યવસ્થા થઈ છે. આમ 12,500 વ્યક્તિના પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ આ તમામ લોકોને સલામત સ્થળાંતર કરી દેવામાં આવશે.