Home » photogallery » kutchh-saurastra » Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

Janmashtami in Dwarka: એક પ્રસુતાને જે પ્રમાણે ઔષધીયુક્ત વ્યંજન આપવામાં આવે છે. એ જ ભાવ સાથે માતા દેવકીને રાબ, બાજરાનો રોટલો, રીંગણાનું શાક, તેમજ સુવા અજમા મરીના ભુક્કા ઇત્યાદિ સહિત મિશ્રિત ગોળ યુક્ત લાડવા પણ ધરાવવામાં આવે છે.

विज्ञापन

  • 18

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    અંકિત પોપટ, દ્વારકા: આજે શ્રાવણ વદ આઠમ (Shravan vad Aatham) એટલે કે કૃષ્ણ જન્મોત્સવ (Krishna Janmotsav) . આજે જ્યારે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે જગત મંદિર દ્વારિકામાં (Dwarika) ભગવાનનો જન્મ થઈ ગયા બાદ કઈ રીતે દેવકી માતાની (Maa Devki) સેવા કરવામાં આવે છે. તો સાથો સાથ ભગવાન દ્વારિકાધીશના બાળ સ્વરૂપને કઈ રીતે પાલનામાં ઝુલાવવામાં આવે છે. તે જાણવું અતિ મહત્વનું છે. 

    MORE
    GALLERIES

  • 28

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દ્વારિકાના કપિલ ભાઈ વાયડાએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે શ્રાવણ વદ અષ્ટમીને જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભગવાનનો જન્મ થઈ ગયા વાત બીજા દિવસને પાલના નવમી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થયા બાદ તેને પલનામાં ઝુલાવવામાં આવે છે. એ જ રીતે ભગવાન કૃષ્ણને પણ તેમના બાળ સ્વરૂપનો ભાવ કરી પલનામાં ઝુલાવવામાં આવે છે. ભગવાનના જન્મ થઈ ગયા બાદ છ દિવસ સુધી તેમને પલનામાં ઝુલાવવામાં આવે છે. તો એ જ પ્રકારે માતા દેવકીનું પણ એક પ્રસુતાની જેમ જ જગત મંદિર દ્વારકાની અંદર ધ્યાન રાખવામાં આવે છે. તેમની સેવા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 38

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    એક પ્રસુતાને જે પ્રમાણે ઔષધીયુક્ત વ્યંજન આપવામાં આવે છે. એ જ ભાવ સાથે માતા દેવકીને રાબ, બાજરાનો રોટલો, રીંગણાનું શાક, તેમજ સુવા અજમા મરીના ભુક્કા ઇત્યાદિ સહિત મિશ્રિત ગોળ યુક્ત લાડવા પણ ધરાવવામાં આવે છે. તેમજ પ્રસુતા મહિલાને જે પ્રમાણે જુના જમાનામાં શેક કરવામાં આવતો હતો. એ જ રીતે છાણાનું તાપણું કરી શેક કરવામાં આવે છે. 

    MORE
    GALLERIES

  • 48

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    ભગવાનના જન્મના છ દિવસ બાદ ભગવાનની ષષ્ઠી કરવામાં આવે છે.  ભગવાન દ્વારકાધીશજીનો છઠ્ઠી ઉત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પછીના 6 દિવસ ભગવાન દ્વારકાધીશજીને માતા દેવકી પાસે બાળ સ્વારૂપમાં લાડ લડાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 58

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    જન્મનાં છઠ્ઠે દિવસે સાંજે ભગવાનનો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવે છે. આપણે ત્યાં માન્યતા છે કે, બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધાતા દેવી બાળકનું ભવિષ્ય વિધિ વિધાન લખવામાં આવે છે. આ દેવીનું ષષ્ઠિ માતા તરીકે જગત મંદિર દ્વારિકામાં સંધ્યા સમયે પૂજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 68

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    આ પૂજનમાં છઠ્ઠી દેવીનું પરંપરાગત ભાતીગળ ચિત્ર મુકવામાં આવે છે. તો સાથો સાથ બાળકના જન્મ સમયે જે હથિયારથી ગર્ભનાળ છેદન કરવામાં આવેલ હોય.

    MORE
    GALLERIES

  • 78

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    તે પારંપરીક હથિયાર એવી કટારનું પંચામૃતથી અભિષેક કરી ધૂપ દીપ નૈવેદ્ય ધરી પૂજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 88

    Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ માતા દેવકીની નવપ્રસુતાની જેમ કરવામાં આવે છે સેવા, જાણો આખી રસપ્રદ વિધિ

    આમ તો ભગવાન સ્વયં સર્વના ભાગ્ય વિધાતા છે. પણ એક લીલા સહજ ભાવથી ભગવાનના ભાગ્ય વિધાતા ષષ્ઠિ દેવી લખશે એવા ભાવથી ઉત્સવ ઉજવાય છે.

    MORE
    GALLERIES