Home » photogallery » kutchh-saurastra » વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

Shivrajpur Beach: નોંધનીય છે કે, શિવરાજ પુર બીચ વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં દરિયાકાંઠે નાહવાનો આનંદ લે છે.

  • 18

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    દ્વારકા: રાજ્યમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓની પહેલી પસંદ શિવરાજપુર બીચ બન્યો છે. ત્યારે ત્યાંના મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શિવરાજપુર બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નિર્ણય અમલી રહેશે. આ નિર્ણય ત્રણ મહિના સુધી અમલી રહેશે. તેમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તથા મોન્સૂન સિઝનના કારણે દરિયો તોફાની હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બીચ પર ફરવા જવા માટે કોઇ પ્રતિબંધ નથી.

    MORE
    GALLERIES

  • 28

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    આપને જણાવીએ કે, શિવરાજપુર બીચ ખાતે આગામી 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં બહારથી આવતા ટુરિસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્રણ મહિના નાહવાની તમામ એક્ટિવિટી બંધ રહેશે. તેમજ શિવરાજપુર બીચ પર મોન્સૂન સિઝનના કારણે દરિયો તોફાની હોવાથી નિર્ણય લેવાયો છે.

    MORE
    GALLERIES

  • 38

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    શિવરાજપુર બીચના 5 કિમિ વિસ્તારમાં ન્હાવા, સ્વિમિંગ કરવા પર ત્રણ મહિના સુધી યાત્રિકો માટે નાહવાની પણ મનાઈ રહેશે. તથા અધિકારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

    MORE
    GALLERIES

  • 48

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં પી.એસ.આઈ. અથવા ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી ભારતના ફોજદારી અધિનિયમ 1860ની ક્લમ 188 અન્વયે કાનુની કાર્યવાહી કરી શકશે.

    MORE
    GALLERIES

  • 58

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    ઉપરાત દ્વારકાની ગોમતી નદીથી ભડકેશ્વર બીચ સુધીના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ પાણીમાં કરન્ટ જોતાં યાત્રિકોની સલામતી માટે ગોમતી નદીમાં સ્નાન કરવા પર તંત્ર દ્વારા મનાઈ ફરમાવી છે.

    MORE
    GALLERIES

  • 68

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    બ્લ્યુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત કરનાર એવા પ્રખ્યાત શિવરાજ પુર બીચ પર નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સહેલાણીઓ માટે 1 જૂન થી 31 ઓગસ્ટ દરમ્યાન ન્હાવાની મનાઈ ફરમાવવમાં આવી છે.

    MORE
    GALLERIES

  • 78

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    જ્યારે પ્રવાસીઓને ફરવા જવા માટે બીચ ખુલ્લો રહેશે. ચોમાસાને લઈને વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને જોતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શિવરાજ પુર બીચ વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં દરિયાકાંઠે નાહવાનો આનંદ લે છે પરંતુ હવે 31 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ આ આનંદ માણી શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 88

    વેકેશનમાં શિવરાજપુર બીચ જવાનો પ્લાન હોય તો પહેલા જ આ વાંચી લો, નહીં તો પછી પસ્તાશો

    ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવેલુ છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. જેમાંથી બે બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.

    MORE
    GALLERIES