Home » photogallery » kutchh-saurastra » આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

વર્તુ-2 ડેમમાં ઓવરફ્લો થતા આ ડેમના 4 દરવાજા વધુ દોઢ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે

  • 14

    આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

    રાજ્યમાં (Gujarat) ફરી એકનાર વરસાદનો (Monsoon) નવો રાઉન્ડ વરસી રહ્યો છે. ત્યારે હજી હવામાન વિભાગની આગાહી (rain forecast) પ્રમાણે, રાજ્યમાં પાચં દિવસ મધ્યમથી ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વર્તુ 2 ડેમના કાલે ફરીવાર દરવાજા ખોલાતા દ્વારકાનાં જામરાવલ (Jamraval) ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોને ગામની અંદર હોડીમાં બેસીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ વરસાદની સીઝનમાં જામરાવલમાં કુલ 8 વાર પાણી ગામમાં આવી જતા આઠ વખત ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. જેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 24

    આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

    ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલું પાણી વર્તુ-2 ડેમમાં ઓવરફ્લો થતા આ ડેમના 4 દરવાજા વધુ દોઢ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જેના કારણે જામરાવલમાં હાઇસ્કૂલ સુધી પહોંચ્યા છે. આ ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હોડીમાં બેસીને અવરજવર કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 34

    આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

    રવિવારે પોરબંદર જીલ્લામાં સર્વત્ર અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર જીલ્લામાં છેલ્લા બે દિવસોથી મેઘરાજાએ પધરામણી કરતા રવિવારે જીલ્લાના પોરબંદર તાલુકામાં 16 મીમી, કુતિયાણામાં 19 મીમી અને રાણાવાવમાં 14 મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લાના ઘેડ અને બરડા પંથકમાં પણ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારના વરસાદ બાદ પોરબંદર જીલ્લામાં મોસમનો કુલ વરસાદ પોરબંદરમાં 1282 મીમી, રાણાવાવમાં 1585 મીમી અને કુતિયાણામાં 1452 મીમી નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 44

    આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

    ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીને લીધે વર્તુ૨ ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં આજે પાણીમાં વધારો થતા આ 4 દરવાજા બબ્બે ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે, જેથી પોરબંદર જીલ્લાના અનેક નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે.

    MORE
    GALLERIES