Home » photogallery » kutchh-saurastra » ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

જામખંભાળિયામાં કૉંગ્રેસના આગેવાનોની નારેબાજી 'કિસાન વિરોધી યે સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી'

विज्ञापन

  • 15

    ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

    દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને કિસાસ કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા કાર્યકર્તાઓ સાથે એપીએમસી પર પહોંચી ગયા હતા. અહીંયા નેતાઓ બજાર બંધ કરાવે તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને કૉંગ્રેસના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. માડમ અને આંબલિયાએ સરકારની સામે આકરી નારેબાજી કરી હતી.

    MORE
    GALLERIES

  • 25

    ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

    ધારાસભ્ય માડમ અને કિસાન કૉંગ્રેસના મોભી પાલ આંબલિયાએ 'હાય રે ભાજપ', 'સરકાર હમ સે ડરતી હે પુલીસ કો આગે કરતી હે', 'કિસાન વિરોધી યે સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી,'નાં નારા લગાવતાની સાથે જ પોલીસે તેમને 'ઉપાડી' લીધા હતા

    MORE
    GALLERIES

  • 35

    ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

    પોલીસે આંબલિયા અને માડમની અટકાયત કરી અને તેમને પોલીસ ટ્રેનિગ સેન્ટર લઈ ગઈ હતી. આરાધના ધામ ખાતે કાર્યરત ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસે બસ ભરીને કૉંગ્રેસી કાર્યકરોને અટકાયતમાં લીધા હતા. જોકે, પોલીસે અટકાયત કરી ત્યારે ભારે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

    વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, એક તરફ મંદી મહામારી અને મોંઘવારી સહિત આકાશી આફતનો સામનો કરી ચૂકેલા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો દ્વારા બંધને સમર્થન છે પરંતુ હાલમાં ખેતીમાં રવિ પાકની સિઝન છે ત્યારે ખેતી કામ પણ જરૂરી છે જેના કારણે ખેતી કરવા આવું પડ્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    ખંભાળિયા : MLA વિક્રમ માડમ, પાલ આંબલિયાની અટકાયત, નારેબાજી કરતા પોલીસે 'ઉપાડી' લીધા

    કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, બંધને લગતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.

    MORE
    GALLERIES