ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જીતવા માટે અવનવા આયોજન કરતા હોય છે તો ક્યાંક સમર્થકો દ્રારા પણ નવતર પ્રયોગ સાથે વધુને વધુ પ્રચાર થઈ શકે તેવા આયોજન થતા હોય છે. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે, જેને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે બોટાદના નામી બિલ્ડર શ્રીજી આનંદધામ ડેવલોપર્સ ગ્રુપ દ્રારા કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન બોટાદના કાઠિયાવાડ જિન ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં બોટાદ 107 વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને મત આપવા અને જીત અપાવવા અપીલ કરાઈ હતી. હાલ લોકડાયરામાં કમો કોઠારીયા લોકોના આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે, ત્યારે કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં કમો આવતા લોકો કમાની એક ઝલક જોવા ઉમટી પડ્યા હતા અને કમાને નિખાલસતા સાથે મંચ પર જોઈ લોકો એ પણ આનંદની અનુભૂતિ કરી હતી.