Home » photogallery » kutchh-saurastra » Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

  • 18

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    આજે ગુજરાત પોલીસની પોલ ખોલતી ઘટના બરવાળાના રોજીદ ગામેમાં બની છે. જેના વિશે સાંભળીને જ દરેકના રૂવાટા ઉભા થઇ જાય છે. નાનાકડા એવા ગામમાં આજે ઝેરી દેશી પીવાના કારણે 18 લોકોના મોત થયા છે. ત્યાં જ એવું પણ કહી શકાય કે રોજીદ ગામે લઠ્ઠાકાંડ 18 લોકોને ભરખી ગયો છે. ગામમાં મહિલાઓથી લઇ બાળકો રડી રહ્યા છે અને જેનો અવાજ સાંભળતા જ કોઇ પણ માણસનું દીલ પીગળી શકે છે. હાલમાં ગામની સ્થિતિ એવી જે છે કોઈ કોઈને છાનુ રાખવા વાળુ નથી.

    MORE
    GALLERIES

  • 28

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    એક સાથે 18 લોકોના મોત બાદ ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે તો બીજી તરફ મહિલાઓથી લઇ બાળકો પોતાના પરિવારના મોભીને ગુમાવતા કાળો કલ્પાત કરી રડી રહ્યા છે. ત્યારે હવે આ મામલે એસઆઇટી પણ બનાવી દેવાઇ છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    બોટાદના ધંધુકા અને બરવાળા જે લોકોના મોત થયા છે. તે તમામ લોકો રોજીદ ગામે દારૂ પીવા ગયા હતા, જેના પછી તમામ લોકોની તબીયત લથડી હતી. તો કેટલાક લોકોને ઉલટી થયા બાદ મોત થયાની પણ ચર્ચા છે. ત્યાં જ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. તો 10થી વધુ લોકો હાલમાં સારવાર હેઠળ છે. ત્યાં જ ત્રણ લોકોની હાલતમાં ખુબ જ ગંભીર છે. કેટલાક લોકોને ભાવનગર પણ સારવાર માટે રિફર કરાયા છે.

    MORE
    GALLERIES

  • 48

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    રોજીંદ ગ્રામ પંચાયત દ્વારા 18/3/2022 ના રોજ દારૂબંધી અંગે મામલતદારને લેખતીમાં રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નહીં. ત્યાં જ અરજીમાં સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દારૂબંધીનો અમલ નહી કરાવવામા આવે તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી છતા તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું અને આજે તેના પરિણામ સ્વરૂપે 18 લોકો મોતને ભેટ્યા છે.

    MORE
    GALLERIES

  • 58

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    બોટાદ જિલ્લામાં ઝેરી દારૂ પીને મોતને ભેટેલા મૃતકોમાં અત્યાર સુધી માં 18 લોકોના મોત થયા છે. બોટાદના રોજિંદ ગામે 5, ચંદરવા 2, દેવગના 2, ધધુકા તાલુકાના અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2 ના મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 68

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    બોટાદમાં બનેલી આ લઠ્ઠાકાંડની ઘટનામાં કુલ પાંચ શંકમંદોની ધરપકડ કરવામા આવી છે જેમા એવો ખુલાસો પણ થયો છે કે, ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી 90 લિટર કેમિકલ લવાયુ હતું અને તેનો ઉપીયોગ કરીને જ આ ઝેરી દારૂ બનાવાયો હતો.

    MORE
    GALLERIES

  • 78

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    રોજીંદ ગામે બનેલી લઠ્ઠાતકાંડની આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

    MORE
    GALLERIES

  • 88

    Big Breaking: ઝેરી લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત, અમદાવાદ કનેક્શનથી ખળભળાટ

    લઠ્ઠાકાંડની આ ઘટનાના પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો પહોંચ્યો હતો. ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને વેચાણ થયું હતુંમાટે બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો હતો. ચોકડી ગામમાં જઈ કોણ-કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES