Home » photogallery » junagadh » જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

Junagadh news:પટેલ પરિવાર નવસારીથી (Navsari patel family) વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ (somnath) દર્શન કરવા જતો હતો. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો.

विज्ञापन

  • 17

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    અતુલ વ્યાસ, જૂનાગઢઃ જૂનાગઢના જિલ્લામાં (junagadh news) એક ગોઝારો અકસ્માત (accident) સર્જાયો હતો. અહીં નવસારીના પરિવારની કારને અકસ્માત નડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત (father son died in accident) નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. પટેલ પરિવાર નવસારીથી (Navsari patel family) વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ (somnath) દર્શન કરવા જતો હતો. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. પિતા પુત્રના મોતથી નવસારીના પટેલ પરિવારમાં માતમ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 27

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે એક ઈનોવા કાર પસાર થઈ રહી હતી. આ સમયે ઇનોવા કારનું આગળનું ટાયર નીકળી જતાં ગતિમાં ચાલતી કાર ગોથા ખાઈ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 37

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    ઘટનાના પગલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈનોવામાં ડ્રાઈવર સહિત સાત લોકો હતા. જે પૈકી પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 47

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    હોસ્પિટલથી ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્તોમાં કૃપાલી દિનેશ પટેલ, પ્રિટેશ રાજેન્દ્ર દોરી, રમીલા હરેશ પટેલનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 57

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    જ્યારે મૃતકોમાં હરેશ પ્રમુદાસ પટેલ, સંદીપભાઈ પટેલ, હરીશભાઈ પ્રભુભાઈ પટેલનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને વધુ કાર્યવાહી હાથધરી હતી.

    MORE
    GALLERIES

  • 67

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત ગ્રસ્ત પરિવાર નવસારી જિલ્લાનો રહેવાસી છે. અને તેઓ નવસારીથી વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ દર્શન કરવા જતાં હતા.

    MORE
    GALLERIES

  • 77

    જૂનગાઢઃ દર્શન કરવા નીકળેલા નવસારીના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણના મોત

    કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પિતા-પુત્રનું મોત થતાં પટેલ પરિવારમાં માતમ છવાયો હતો.

    MORE
    GALLERIES