Home » photogallery » junagadh » Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

Maha Shivratri 2023 in Somnath: સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે. ચારેય પ્રહરની પૂજા આરતી થશે અને દિવ્ય શંખનાદ થશે.

  • 17

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    દિનેશ સોલંકી, સોમનાથ: મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ત્રણ દિવસ સુધી ભક્તોનો પ્રવાહ ઉમટશે. આથી સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે. ચારેય પ્રહરની પૂજા આરતી થશે અને દિવ્ય શંખનાદ થશે.

    MORE
    GALLERIES

  • 27

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    દેવાધી દેવ મહાદેવને અતિ પ્રિય એવો મહાશિવરાત્રી ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાવિકો માટે સુવિધાઓની વિશેષ તૈયારી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિરે ખાતે મહા શિવરાત્રી પર્વને લઈ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ સુધી શ્રદ્ધાળુઓ મહા મૃત્યુંજય યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    18 તારીખે સવારે 4 કલાકે સોમનાથ મહાદેવ મંદિરનાં કપાટ શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલશે જે સતત 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 47

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    મહા શિવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ મહાદેવની બિલ્વ પૂજા કરી શકે તે હેતુથી પ્રથમવાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા નોંધી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પૂજા મહાશિવરાત્રીના દિવસે બપોરે 1.30 થી 2.30 વચ્ચે થશે જે ઓન લાઈન શ્રદ્ધાળુઓ પોતાના ઘરે જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 57

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    ઓનલાઈન બિલ્વ નોંધાવનાર શ્રદ્ધાળુઓના ઘર સુધી ભસ્મ અને સોમનાથ મહાદેવનો પ્રસાદ પહોંચાડવાનું પણ પહેલી વખત આયોજન કરાયું છે.

    MORE
    GALLERIES

  • 67

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    સોમનાથના મારૂતિ બીચ ખાતે પાર્થેર્શ્વર પૂજા એક સાથે 250 લોકો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં પણ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 77

    Somnath Temple: શિવરાત્રીમાં સોમનાથ જવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો ત્યાંની તમામ માહિતી

    મહા શિવરાત્રીના દિવસે વિશેષ પૂજા સોમનાથ મહાદેવની થશે એટલુંજ નહિ સવારે 8 કલાકે ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા રોહણ કરાશે. મહા શિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવની 4 પ્રહારની વિશેષ પૂજા અને સોમેશ્વર પૂજા થશે.

    MORE
    GALLERIES