વધુ મા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ અમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને માછીમારી કરતા રોક્યા હતા. તળાવમાં માછીમારી થતી હોવાનું પણ કોર્પોરેશનનુ ધ્યાન દોર્યું હતુ. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરસિંહ તળાવમાં આજે કેમિકલ પેટ્રોલ કે ડીજલને કારણે માછલીઓ મોતને ભેટી છે.
મહત્વનું છે કે, નરસિંહ મહેતા સરોવરમાં ગઇકાલે સવારના સમયે એક લાંબો સાપ કિનારે આવી ગયો હતો. રસ્તેથી પસાર થતા લોકોની નજર પડી જતાં લોકો તેને જોવા ઉભા રહી ગયા હતા. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠે સવારના સમયે એક લાંબો સાપ જોવા મળ્યો હતો. અડધો પાણીમાં અને અડધો બહાર આવી ગયેલો સર્પ જોઇ રસ્તેથી પસાર થતા લોકો જોવા ઉભા રહી ગયા હતા અને તેનો ફોટો પાડવા લાગ્યા હતા.