અતુલ વ્યાસ, જુનાગઢ : જુનાગઢમાં (Junagadh) દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો (Prakrutik Plastic cafe) પ્રારંભ થઇ રહ્યો છે. 30 જુનના એટલે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ કાફેનો પ્રારંભ થશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.<br />જુનાગઢમાં દેશનું સર્વ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો (India's first plastic free cafe) પ્રારંભ થવા જઇ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે મીડિયા સાથેની વાતચીતમાં પ્લાસ્ટિકની ખરાબ અસરો વિશે જણાવતાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની બોટલને સડતાં 400 વર્ષ લાગે છે. ભારતમાં દરરોજ 10376 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દર વર્ષે 500 અબજ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. વર્ષ 2050 સુધીમાં સમુદ્રમાં માછલી કરતાં પ્લાસ્ટિક વધુ હશે. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢવાસીઓને પર્યાવરણનું રક્ષણ કરવા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કુદરતી આહાર તરફ આગળ વધવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ કરવામાં આવી છે. આ રીતે આપણે પર્યાવરણ સહિત દેશની સેવા કરી શકીશું.