Home » photogallery » junagadh » Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

ભવનાથમાં શિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો છે.ત્યારે રેલ્વે વિભાગ દ્વારા મેળાને ધ્યાને રાખીને સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે.

  • 15

    Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

    Ashish Parmar, Junagadh: જૂનાગઢ શહેરમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી મેળાની સંબંધિત ભીડને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન યાત્રિયોને સુવિધા આપવા માટે રેલ્વે પ્રશાસને જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 25

    Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

    જૂનાગઢથી રાજકોટ માટે 15 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 સુધી (16.02.2023 અને 20.02.2023 સિવાય) મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.આ દિવસોમાં આ વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે.

    MORE
    GALLERIES

  • 35

    Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

    આ ટ્રેન વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારીયા સ્ટેશન અને ભક્તિનગર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

    MORE
    GALLERIES

  • 45

    Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

    જૂનાગઢથી કાંસિયા નેશ માટે 15 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ દર્શાવેલ તારીખ મુજબ આ વિશેષ ટ્રેન જૂનાગઢથી સવારે 11.10 કલાકે ઉપડશે અને બપોરે 13.20 કલાકે કાંસિયા નેશ સ્ટેશન પહોંચશે.

    MORE
    GALLERIES

  • 55

    Fair Special Train: ભવનાથનાં Shivratriનાં મેળાને લઇ સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણી લો સમય, અહીં સ્ટોપ

    આ જ રીતે આ ટ્રેન કાંસિયા નેશથી 13.40 કલાકે ઉપડી જૂનાગઢ 16.00 કલાકે પહોંચશે. તેમજ તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે.તેમજ ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર, 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને 09522/09521 સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જરમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

    MORE
    GALLERIES