Home » photogallery » junagadh » Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

ચાપરડાનાં મુક્તાનંદબાપુ દ્વારા ગીરનાં નેસમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી છે. જેને ડો. નલીન પંડિત અને કાળુભાઇ સહિતનાં લોકોનો સહકાર મળી રહ્યો છે. ત્યારે આઝાદી બાદ ખજુરી નેસમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે.

विज्ञापन

  • 17

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    Ashish Parmar, Junagadh: ગીર જંગલમાં 70 જેટલા નેસ આવેલા છે. જેમાંથી 25 નેસમાં શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે. ત્યારે આદાઝી બાદ પ્રથમ વખત ખજુરી નેસમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. વસંત પંચમીનાં પવન દિવસથી અહીં એસટીપી વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે. નેસમાં રહેતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મુકતાનંદબાપુ, ડો.નલીન પંડિત, કાળુભાઇ સહિતનાં પ્રયાસ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 27

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    હાલમાં નેસ વિસ્તારમાં શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓને હવે પાયાના શિક્ષણથી વંચિત નહિ રહેવું પડે. ફક્ત શાળા શરૂ થવાની જાહેરાતથી જ અહી અનેક વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને શિક્ષણ મેળવવા પ્રત્યે તેમની આતુરતા સ્પષ્ટ જોવા મળી હતી. ત્યારે હાલ તો ખજુરી નેસમાં શાળા શરૂ કરવાની મંજૂરી મળી છે. શિક્ષણ વિભાગ અને તેના સંવેદનશીલ અધિકારીઓ થકી હાલમાં આ પ્રયાસ સફળ રહ્યો છે. વસંત પંચમીના દિવસે શાળામાં STP વર્ગના મંગલાચરણ થશે.

    MORE
    GALLERIES

  • 37

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત નેસના આ વિદ્યાર્થીઓની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા સિદ્ધ કરવાં ભગીરથ પ્રયાસ થયો જેમાં 125 થી વધુ તાલીમી શિક્ષકોની ફોજ દ્વારા આ નેસના બાળકોને ભણાવવામા આવ્યાં છે. આ રીતે સરકાર સમાજ અને શાળાઓને સહયોગ આપી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 47

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    નેસ વિસ્તારમાં પાકા રસ્તા સાથે કેટલાયમાં લાઇટ પણ નથી. આ સાથે મહત્તમ નેસમાં TV નથી , મોબાઈલ ચાર્જર નથી. પણ અહી વસવાટ કરતા લોકો કહે છે, આ વસ્તુ થી અમે ખુશ છીએ.

    MORE
    GALLERIES

  • 57

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    નેસ વિસ્તારના લોકોનું કહેવું છે કે, અહી પ્રકૃતિ છે માત્ર આનંદ છે. પ્રકૃતિ અને ચેતનાનું અહી મહત્તમ મિલન છે. નેસમાં આનંદનું એક જ કારણ છે. કે અહી કોઈ સુવિધા નથી. જો સુવિધા સભર વાતાવરણ થઈ જાય તો અહીં પણ રહેનાર વ્યક્તિ ટેકનોલોજીના ગૂંચવાય જાય.

    MORE
    GALLERIES

  • 67

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    કાશિયા નેસ પણ છેવાડાનો નેસ છે. અહી પણ કોઈ ટેકનોલોજી પૂર્ણ રીતે બાળકો અને રહેવાસીઓ સુધી પહોંચી નથી. હાલમાં અહી ATE શિક્ષણનો પ્રયોગ ચાલી રહ્યો છે. જેનાથી ભવિષ્યમાં અહીંના વિદ્યાર્થીઓને લાભ મળશે.

    MORE
    GALLERIES

  • 77

    Junagadh: ખજુરી નેસમાં રહેતા બાળકો હવે નહીં રહે શિક્ષણથી વંચિત, આઝાદીના 70 વર્ષ બાદ સંતની મહેનત રંગ લાવી

    કાસીયા નેસ શાળાના એક કાર્યક્રમમાં મુક્તાનંદ બાપુએ એક વાતની જાહેરાત પણ કરી કે ચાપરડા આસપાસના ગામડાઓ અને ગીર નેસના પશુઓને રોગથી બચાવવા પશુ ચીકીત્સાલયની શરૂ કરાશે. આ સાથે નિષ્ણાત ડોકટર સાથેની ફરતી હોસ્પિટલ પણ શરૂ રહેશે.

    MORE
    GALLERIES