Home » photogallery » jamnagar » જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

Jamnagar News: જામનગરમાં અવઢવ વચ્ચે આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો સ્કૂલમાં શરૂ , રાજ્ય સરકારે તો જાહેરાત કરી પરંતુ શિક્ષણ અધિકારીઓ દ્વારા કોઇ ફરમાન કે પરિપત્ર શાળાઓને આપવામાં આવ્યાં નથી.

विज्ञापन

  • 14

    જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

    કિંજલ કારસરીયા, જામનગર : આજથી ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થયા છે ત્યારે જામનગરમાં કેટલીક શાળાઓ શરૂ થઈ છે તો કેટલીક શાળાઓ હજી પણ અવઢવમાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ગઈકાલે જાહેરાત કરી છે પરંતુ હજી શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે કોઈ ફરમાન કે પરિપત્ર શાળાઓને નહીં આપતા શાળા સંચાલકો અવઢવમાં મુકાયા છે. પરંતુ કેટલીક શાળાઓએ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના આદેશને લઈને વાલીઓના સામાજિક પત્રક સાથે એ ગાઈડ લાઇન્સ મુજબ શાળાઓ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

    આજથી ગુજરાતની ધોરણ 1 થી 5 ની શાળા શરૂ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાતને પગલે જામનગરમાં આજે કેટલીક શાળાઓ ખૂલી છે તો કેટલીક શાળાઓ હજી પણ અવઢવમાં છે. જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક ન થયો હતો

    MORE
    GALLERIES

  • 34

    જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

    જામનગરની કેટલીક શાળાઓમાં હજી પણ પરિપત્ર નહીં મળવાને કારણે અવઢવમાં છે. તો જામનગરની પ્રણામી સ્કુલ કેટલીક સ્કૂલોએ ધોરણ 1 થી 5 નાં વર્ગો આજથી રાજ્ય સરકારની શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાતને પગલે શરૂ કરી દીધા છે.

    MORE
    GALLERIES

  • 44

    જામનગર: અવઢવ વચ્ચે ધોરણ 1થી 5નાં વર્ગો ઓફલાઇન ચાલુ, શાળાને નથી કોઇ અધિકૃત ફરમાન

    જામનગરમાં પ્રથમ દિવસે જ LKG, UKG બાદ સૌપ્રથમ વખત પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ કોરોના ના કપરા સમય બાદ શાળાએ આવી પહોંચ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓનાં સહમતી પત્રક સાથે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પણ આજથી શરૂ થયો છે. ઓફલાઈનની સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ આજથી શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે ત્યારે 50 ટકા વિદ્યાર્થીની હાજરી સાથે જામનગરમાં પ્રણામી સ્કુલ સહિત કેટલીક શાળાઓ શરૂ થઈ ચૂકી છે.

    MORE
    GALLERIES