Home » photogallery » jamnagar » Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

ચમત્કારની માફક પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત પણ થયા હતા. ત્યારબાદ તેમનું જીવન પરિવર્તન થયું હતું અને સ્વસ્થ થતા બાદ પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરુ કર્યુ

  • 112

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    Kishor Chudasama, Jamnagar: કોઈ માણસના પર્યાવરણ પ્રેમને ઝનૂનનો સાથ મળે તો પરોપકારનું ભગીરથ કાર્ય થાય તેવુ જામનગર પંથકના વડીલે સાબિત કરી બતાવ્યું છે. વાત છે ખીમલીયા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યાની. અહીં વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિપ્રેમ થકી ઉજ્જળ જગ્યામાં 16 હજાર જેટલા વૃક્ષ રોપી ગાઢ જંગલ ઉભું કરી દીધું છે.

    MORE
    GALLERIES

  • 212

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ પ્રકૃતિપ્રેમીએ દેશભરના લોકોને અનોખી પ્રેરણા આપી છે.

    MORE
    GALLERIES

  • 312

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    જામનગરના અનોખા પર્યાવરણ પ્રેમીની કામગીરીને લોકો મુક્તમને બિરદાવી રહ્યા છે. જામનગર તાલુકાની ખીમલીયાની સીમમાં ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની જગ્યા આવેલી છે.

    MORE
    GALLERIES

  • 412

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    આ જગ્યાને વિઠ્ઠલ સવજી મુંગરાએ જીવંત બનાવી છે. વિઠ્ઠલ સવજી મુંગરા છેલ્લા 18 વર્ષથી આ જગ્યાને પોતાની મહેનતથી વિકસીત કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 512

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે મને અલ્સરની બીમારી થઈ હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ તબીબોએ પણ બીમારીમાંથી બહાર આવવાની શકયતા નહીવત ગણાવી હતી. સાથે બીમારીના કારણે કામમાં પુરતો સમય ન આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી. ત્યારબાદ હતાશ થયેલા વડીલે પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 612

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    ઠેબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ જતા હતા. આ દરમિયાન તેમનો પર્યાવરણ પ્રેમ જાગ્યો હતો. આ દરમિયાન વિઠ્ઠલભાઈ મુંગરાએ ઘણા દિવસો સુધી તેમણે ખોડીયાર માટેના મંદિરે સમય વિતાવ્યો હતો. બાદમાં મંદિર આસપાસ જંગલ જેવુ હોવાથી તેની સાફ સફાઈ કરી હતી. સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 712

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    એટલું જ નહીં ચમત્કારની માફક પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત પણ થયા હતા. ત્યારબાદ તેમનું જીવન પરિવર્તન થયું હતું અને સ્વસ્થ થતા બાદ પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરુ કર્યુ

    MORE
    GALLERIES

  • 812

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યુ છે. હાલ વિઠ્ઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી ભાઈના ડુંગરની જગ્યાને પસાર કરે છે અને16000 વૃક્ષોનું જતન કરે છે.

    MORE
    GALLERIES

  • 912

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    વૃક્ષની આસપાસ નીંદણ કરવું , વૃક્ષોને ઉધઈ ન ખાય તેમાટે ચૂનો લગાવવો, પાણી પાવું સહિતની કામગીરી કરીને દિવસ પસાર કરે છે. તેમજ વિઠ્ઠલભાઈ એ એમ પણ જણાવ્યું હતું કે જે દિવસે હું આ જગ્યા નથી આવતો ત્યારે મને અખો દિવસ ચેન પડતું નથી.

    MORE
    GALLERIES

  • 1012

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    આ જગ્યાએ જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાનું મુલાકાત લેવા માટે આવે છે. તેમજ રવિ વાર અને તહેવારોના સમયમાં અહી ખુબજ મોટી સંખ્યા લોકો મુલાકાત લેવા માટે આવે છે.

    MORE
    GALLERIES

  • 1112

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    આ જગ્યાએ જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાનું મુલાકાત લેવા માટે આવે છે. તેમજ રવિ વાર અને તહેવારોના સમયમાં અહી ખુબજ મોટી સંખ્યા લોકો મુલાકાત લેવા માટે આવે છે.

    MORE
    GALLERIES

  • 1212

    Jamnagar: વેરાન વગડામાં વડીલે ઉભું કર્યું ગાઢ જંગલ, ચમત્કારની માફક બીમારીથી પણ થયા સાજા!

    વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે હું છેલ્લા 18 વર્ષથી વૃક્ષોની સેવા કરી રહ્યો છું. મને બાળપણથી જ વૃક્ષો પ્રત્યે ખુબ જ લગાવ છે. હું બ્રાસના એક કારખાનાનો માલિક છું, જે હાલ મારો પુત્ર સંભાળી રહ્યો છે. બે ભાઈના ડુંગર વિસ્તારમાં વૃક્ષો વાવવા અથાગ મહેનત કરી છે. વિવિધ સંસ્થાઓ અહીં વૃક્ષારોપણ કરી જતા રહે છે, પરંતુ આ વૃક્ષોનું જતન હું કરું છું.

    MORE
    GALLERIES