Home » photogallery » jamnagar » માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

ભારે પવનને કારણે ગરમીમાં લોકોને આંશિક રાહત તો મળી છે, પરંતુ પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સાથે સાથે કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ દિશા તરફના પવનને કારણે ધીમે ધીમે હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.

  • 17

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    Kishor chudasama, jamnagar: ફરી એકવાર ગુજરાત માથે કમોસમી વરસાદનું જોખમ વર્તાઇ રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ પટ્ટી પર આવેલા જિલ્લાઓમાં આગામી તારીખ 28 અને 29મી મેની આસપાસ માવઠાની આગાહી કરી છે. ત્યારે કમોસમી વરસાદની અસર અત્યારથી જ જામનગરમાં વર્તાવાનું શરૂ થઇ ચૂક્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    છેલ્લા કેટલાક સમયથી દરિયાકાંઠે આવેલા જામનગર જિલ્લામાં ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જો કે શુક્રવારે વહેલી સવારથી જ સૂસવાટા નાખતો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે.

    MORE
    GALLERIES

  • 37

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    ભારે પવનને કારણે ગરમીમાં લોકોને આંશિક રાહત તો મળી છે, પરંતુ પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સાથે સાથે કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ દિશા તરફના પવનને કારણે ધીમે ધીમે હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 47

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    શરૂઆતમાં માવઠા બાદ અચાનક એક સપ્તાહથી જામનગરમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. જામનગરમાં પહેલીવાર તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમીની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.

    MORE
    GALLERIES

  • 57

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    માથા તથા પેટમાં દુખવું, ઉલટી થવી વિગેરેના કેસો હોસ્પિટલમાં વધારે નોંધાઈ રહ્યા છે. ગરમી તથા બફારામાંથી રાહત મળે તે માટે નગરજનો કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે, તેમજ એસી સહિતના વીજ ઉપકરણો અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 67

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    બીજી બાજુ ગુરુવાર રાતથી અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 25 થી 30 કિ.મીની રહેવા પામી હતી. ખાસ કરીને રાત્રે ભારે પવન ફૂંકાતા ગરમીમાં લોકોને રાહતનો અનુભવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 77

    માવઠાની અસર: આગાહી બાદ પવનની ગતીમાં વધારો, વૃક્ષો થયા ધરાશાયી

    જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવેલા આંકડા મુજબ, લઘુતમ તાપમાન 28.7, મહત્તમ તાપમાન 39.1, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ 10ની આસપાસ રહેવાની સંભાવના છે. જો કે હાલારવાસીઓને 30થી વધુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં જામનગરના વાતાવરણમાં મોટો ફેરફાર દેખાઇ શકે છે.

    MORE
    GALLERIES