નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં થયેલા સીઆરપીએફનાં કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયો હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદે લીધી હતી. આ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.