Punit Mathur, Jodhpur: કહેવાય છે કે શાળા એ શિક્ષણનું મંદિર છે અને જો આવું છે તો આ શિક્ષણ મંદિરમાં સ્વચ્છતા કેમ નથી? આવો જ સવાલ જોધપુરના સરદારપુરામાં આવેલી સરકારી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ સામાન્ય પ્રજાને પૂછી રહી છે. તેનું કારણ છે લોકો શાળાની દીવાલ ઉપર લઘુશંકા કરતા જેથી શાળા આસપાસ ગંદકી ફેલાતી હતી. આ વસ્તુ બદલવા બાળકીઓએ ખૂબ વિનમ્ર ભાવે લોકોને સમજાવવા શાળાની દીવાલ પર એક અપીલ લખી છે.
શરૂઆતમાં વિદ્યાર્થિનીઓના સમજાવ્યા છતાંય લોકો આ દીવાલ પર લઘુશંકા બંધ કરતા ન હતા. આવી સ્થિતિમાં, શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક નવી રીત અપનાવવામાં આવી અને જે દિવાલ પર લોકો લઘુશંકા કરતા હતા તે દિવાલ પર એક અપીલ લખવામાં આવી. તેમની અપીલમાં તેમણે લોકોને કહ્યું હતું કે તમારા આ દીવાલ પર લઘુશંકા કરવાના કારણે અમને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપ સૌને વિનંતી છે કે અમને ભણવા દો.