Home » photogallery » gujarat » વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

આ ભોજનાલયમાં કરંજવેલ ગામની આદિવાસી બહેનો કામ કરી રોજગારી મેળવી રહી છે.

विज्ञापन

  • 15

    વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

    હેમંત ગામિત, વ્યારા: વ્યારાના પાનવાડી ખાતે વનવિભાગના સહયોગથી કેમ્પા યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષથી ચાલતાં નાહરી ભોજનાલય વન શ્રી રેસ્ટોરન્ટમાં (Vanshree restaurant bu Adivasi women) કરંજવેલ ગામની આદિવાસી બહેનો આદિવાસી પરંપરાગત વાનગીઓ (traditional recipe) બનાવે છે.  જેને માણવા દૂરદૂરથી લોકો અહીં આવે છે.

    MORE
    GALLERIES

  • 25

    વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

    તાપી જિલ્લાનાં મુખ્યમથક વ્યારામાં પાનવાડી ખાતે લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુસર વનવિભાગના સહયોગથી આદિવાસી બહેનોએ વન શ્રી રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. જેમાં કરંજવેલ ગામની દસ જેટલી આદિવાસી બહેનો કામ કરી રોજગારી મેળવી રહી છે. આ ભોજનાલયમાં નાગલી, જુવાર, ચોખાના રોટલા સહિત ઓર્ગેનિક પધ્ધતિથી પકવેલા શાકભાજીનું સરસ શરીરને ઉપયોગી અને આર્થિક રીતે પણ પોષાય તેવું ભોજન મળી રહે છે. જેથી સારા પ્રમાણમાં  લોકો અહીં ભોજન માટે આવવાનું પસંદ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 35

    વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

    વાંસની બનાવટમાંથી તૈયાર થયેલું આ વન શ્રી રેસ્ટોરન્ટ બહારથી પણ ખૂબ જ આકર્ષક લાગતું હોવાથી અહીંથી પસાર થતાં લોકો ભોજનનો સ્વાદ માણવા પ્રેરિત થઈ જતાં હોય છે. આજના આધુનિક યુગમાં લોકોએ ફાસ્ટફુટ તરફ દોટ મુકી પોતાના આરોગ્યને બગાડી રહ્યાં છે ત્યારેઆ ભોજનાલયમાં બપોરે અને સાંજે બે ટંકનું પરંપરાગત આદિવાસી વાનગીઓ સાથેનું સાત્વિક ભોજન મળી રહે છે. જે શરીર માટે ખુબજ આરોગ્યવર્ધક અને ગુણકારી છે.

    MORE
    GALLERIES

  • 45

    વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

    આદિવાસી બહેનો દ્વારા સંચાલિત આ વન શ્રી રેસ્ટોરન્ટમાં વિઝિટ બુક પણ રાખવામાં આવી છે. જેને લઈ રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણનારા પોતાનો અભિપ્રાય આ વિઝિટ બુકમાં આપતા હોય છે. વિઝિટ બુકમાં સૂચવેલા અભિપ્રાયોને પગલે રેસ્ટોરન્ટમાં કામ કરતી બહેનોમાં ઉત્સાહના વધારો થાય છે.

    MORE
    GALLERIES

  • 55

    વ્યારા: આદિવાસી બહેનો ચલાવે છે આ રેસ્ટોરન્ટ, જેમાં પીરસાય છે પરંપરાગત વાનગીઓ

    સામાન્ય રીતે ઘરથી દૂર કામ માટે જતાં લોકો પાંચ-છ વાગ્યે ઘરે જવા માંડતા હોય છે ત્યારે આ રેસ્ટોરન્ટમાં કામ કરતી બહેનો રાત્રે નવ વાગ્યા સુધી કામ કરી રોજનાં ત્રણસો રૂપિયા કમાવી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે.

    MORE
    GALLERIES