દિપક પટેલ, નર્મદા: જો તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity) પ્રવાસે જવાનું વિચારી રહ્યાં હોવ તો પહેલા આ સમાચાર તમારે વાંચી લેવા જોઇએ. સામાન્ય રીતે ઉનાળો (summer) શરૂ થતાની સાથે જ નર્મદા નદીમાંથી (Narmada river) પાણી પણ ઓછું થતું જાય છે. આ વખતે પણ એવું જ થયું છે. નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ (power house) બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે નર્મદા નદી સૂકી થવાથી એકતા ક્રૂઝ બોટ (Ekta cruise boat) પણ બંધ કરી દેવામાં આવી છે. (ક્રૂઝ બોટની અત્યારનો હાલ અને પહેલાની તસવીર)
સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 12557 મીટર પર છે, એટલે કે 138.68 મીટરથી આઠ મીટર નીચે ઉતરી છે. હાલ 2227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો સરદાર સરોવરમાં છે. મહત્ત્વનુ છે કે,થોડા દિવસ બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થશે. જેમાં નર્મદા નદીની પરિક્રમા અને સ્નાન કરવાનો અનોખો મહિમા હોય છે. ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમાની પણ શરૂઆત થશે ત્યારે નર્મદામાં પાણી નહિ હોય. (ક્રૂઝની પેહલાની તસવીર )