Home » photogallery » gujarat » ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી

ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી

Gujarat weather forecast : આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

  • 15

    ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી


    સુરત: થોડા સમયથી રાજ્યના (Gujarat weather updates) વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની (Gujarat farmers in worry due to unseasonal rain) ચિંતામાં વધારો થઇ રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી 27 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી પણ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી

    માવઠાની અસરને પગલે અનેક જિલ્લામાં સોમવારથી વાદળછાયું વાતાવરણ થઇ જાય તેની સંભાવના છે. બે દિવસ બાદ માવઠાની અસર ઓછી થતાં રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ ફરીથી ઠંડીનો ચમકારો થશે.

    MORE
    GALLERIES

  • 35

    ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી


    શનિવારે રાત્રિએ નલિયામાં 13 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં પણ લધુત્તમ તાપમાનમાં વધારો થતા 15 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. અમદાવાદમાં 28થી 30 ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી

    આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે.

    MORE
    GALLERIES

  • 55

    ગુજરાતમાં 27મીએ છે માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે ફરી કડકડતી ઠંડી

    છુટા છવાયા વરસાદની કરાયેલા આગાહીને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદને કારણે અનાજ પલડીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા સાબરકાંઠા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરીવહન દરમ્યાન પલળી ન જાય તે હેતુસર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગોમાં લેખીત પત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે યોગ્ય પગલા લેવા જાણ કરવામાં આવી છે. છુટા છવાયા વરસાદની આગાહીને પગલે ખેડુતોમાં ઘાસ ચારા સહિત શિયાળુ પાકોમાં પણ નુકસાનની ભીતીથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

    MORE
    GALLERIES