કેતન પટેલ, બારડોલી: સુરત (Surat news) જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલ પરપ્રાંતીય વસ્તી ધરાવતા વિસ્તારમાં રવિવારના રોજ સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 11 વર્ષની માસુમ બાળાને અજાણ્યા નરાધમોએ પોતાના હસવનો શિકાર બનાવી બાળકીની રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા હતા.જ્યાં તેના ઉપર બળાત્કાર ગુજારી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યા હતા. પરિવારે બાળકીની શોધ કરીને સરવાર માટે લઈ ગયા હતા. જોકે, ત્યારે ઘણું મોડુ થઈ ગયું હતું આ અમાનવીય કૃત્યમાં માસુમ બાળકીનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. (પ્રતીકાત્મક તસવીર)
બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, કામરેજના પાસોદ્રા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં એક ગોઝારી ઘટના બની છે. આ વિસ્તારના સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરપ્રાંતીય પરિવારની બે બાળા રવિવારે ઘરે એકલી હતી. તેમના માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. તે સમયે 11 વર્ષની દીકરી એકલી હતી. ત્યારે અજાણ્યા નરાધમો આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ ઘરમાં લઈ ગયા હતા.
જ્યાં આ હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી. બાળકી લોહી લુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમો બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં જ મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં દેખાતા માતાપિતા અવાક થઇ ગયા હતા. જે બાદ તેને સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવાયેલીની શકયતા દેખાઈ હતી. આ બિલ્ડીંગમાં અંદાજીત 10 જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોઈ એ આજ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ જાણતો હોઈ સ્વભાવિક છે અને આવાજ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોઈ તેવી શકયતાના આધારે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલ માંથી બે શકમંદોને પોલિસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. ગંગાધરા આઉટ પોસ્ટ પર એલ.સી.બી. તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલિસ આરોપીની પૂછપરછ કરી છે. માસૂમ બાળાની હત્યાના પરપ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારેરોષ જોવા મળી રહ્યો છે.