રામ મંદિરના ભૂમિ પૂજન પછી પોતાના સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામની અદ્ભૂત શક્તિ જુઓ કે ઈમારતો નષ્ટ કરી દેવામાં આવી હતી. અસ્તિત્વ મિટાવવાના પણ ઘણા પ્રયાસ થયા, પરંતુ રામ આજે પણ આપણા સૌના મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ છે. રામ આપણા મનમાં કોતરાયેલા છે. આપણી અંદર ભળી ગયા છે. કોઈ કામ કરવાનું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામની તરફ જોઈએ છીએ.