અંબાજી અને દાંતા વચ્ચે એસટી બસનો અકસ્માત થયાની ઘટના બની હતી. અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટમાં એસટી બસની બ્રેક ફેઇલ થતાં બસ રોડની બાજુમા પહાડને અથડાઇ હતી. જેના પગલે 70 મુસાફરો પૈકી 30 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજીથી ભાભર જતી એસટી બસને આ અકસ્માત સર્જયો હતો. (મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી)