Home » photogallery » gujarat » વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

વર્ષ 2016માં ઇસ્તાનબુલમાં થયેલા આતંકવાદી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહનું આતંકવાદી હુમલામાં મોત થયું હતું.

  • 15

    વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

    તુર્કીના ઇસ્તંબુલ ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં આવેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં વડોદરાના મૂળની આશાસ્પદ યુવતી ખુશી શાહનું મોત નિપજ્યું હતું. વ્યવસાયે ફેશન ડિઝાઇનર ખુશી શાહ નામની યુવતી આ હુમલા સમયે ઘટના સ્થળે જ હોવાને કારણે તે પણ આતંકી હુમલાનો ભોગ બની હતી. ખુશીના મૃત્યુની જાણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના ટ્વીટ દ્વારા પરિવારને થઈ હતી.

    MORE
    GALLERIES

  • 25

    વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

    વડોદરાના પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખૂબ મદદ કરી હતી. પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી હતી તેવામાં તાત્કાલિક ધોરણે તુર્કી જવા માટે વિઝાની વ્યવસ્થાથી લઈને ખુશી શાહના પાર્થિવ દેહને વડોદરા લાવવા સુધીની વ્યવસ્થા સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રાલયના નેજા હેઠળ કરી આપી હતી.

    MORE
    GALLERIES

  • 35

    વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

    સુષ્મા સ્વરાજે આ ઘટના બાદ ખુશી શાહના પિતા સાથે વાતચીત પણ કરી હતી અને તેમને દિલસોજી પાઠવી હતી. સુષ્મા સ્વરાજે આ ઘટના સમયે ટ્વીટર પર દેશને તુર્કીના હુમલાની જાણકારી આપી હતી.

    MORE
    GALLERIES

  • 45

    વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

    ઇસ્તાનબુલ ગયેલી ખુશી બે દિવસ સુધી પતો ન મળતા તેના પરિવારે ભારત સરકારનો સંપર્ક સાધ્યો હતો ત્યારે વિદેશ મંત્રાલયે સક્રિયતા દાખવી અને ખુશી શાહની શોધખોળ હાથ ધરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

    વિદેશ મંત્રાલય જેવા મહત્વના પ્રભારને ટ્વીટરના માધ્યમથી સક્રિયતાથી ચલાવનારા સુષ્મા સ્વરાજને દેશ કાયમ યાદ કરશે.

    MORE
    GALLERIES