Home » photogallery » gujarat » વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

ડાંગર અને ઘઉંમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ બન્યું છે, ફતેહવાડી કેનાલ દ્વારા ૮૨ હજાર એકર જમીનને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ બન્યું

विज्ञापन

  • 19

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    ગુજરાતના ગામે-ગામ પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે નર્મદા ડેમમાં પાણીની થતી સતત આવકને કારણે નર્મદા ડેમમાંથી અંદાજે ૩૩૦૦ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 29

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    આ પાણી કરાઇ ગામમાંથી પસાર થતી સાબરમતી એસ્કેપ મારફતે સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલ નર્મદાના પાણી વાસણા બેરેજ ખાતે મોટાપાયા પર સંગ્રહીત થાય છે.

    MORE
    GALLERIES

  • 39

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    આ બેરેજ ખાતે સંગ્રહીત થયેલા પાણીના જથ્થાને સાબરમતી નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ગામોમાં ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ ડાંગર અને ઘઉંના ખેતરમાં સિંચાઇ માટે ફતેહવાડી કેનાલ મારફતે છોડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 49

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    હાલ વાસણા બેરેજમાં પાણીની આવક વધતા બે દરવાજા ખોલીને ૧,૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ફતેહવાડી કેનાલ મારફતે છોડવામાં આવેલા પાણી દ્વારા ૮૨ હજાર એકર જેટલી જમીનમાં સિંચાઇ શક્ય બની છે.

    MORE
    GALLERIES

  • 59

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    અમદાવાદ જિલ્લાના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના ૧૧૧ ગામોને ડાંગર તેમજ ઘઉંમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ બન્યું છે.

    MORE
    GALLERIES

  • 69

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    અમદાવાદ ખાતે સાબરમતી નદી પર સને ૧૯૭૬માં આડબંધ બાંધવામાં આવ્યો હતો, જે આજે વાસણા બેરેજ તરીકે ઓળખાય છે. સાબરમતી નદીમાંથી વહી જતા પાણીને વાસણા બેરેજ ખાતે રોકવામાં આવે અને ત્યાં સંગ્રહીત થયેલું પાણી સાબરમતીની ડાઉન સ્ટ્રીમમાં આવતા તાલુકા અને ગામોમાં સિંચાઇ માટે ફતેહવાહી નહેર મારફતે પૂરૂ પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 79

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    વાસણા બેરેજમાં પાણીના સંગ્રહને કારણે જ અમદાવાદ ખાતેનો વિશ્વ પ્રસિદ્ધ રિવરફ્રન્ટ રમણીય અને પાણીથી છલોછલ બારેમાસ જોવા મળે છે. નદીમાં બારેમાસ પાણી રહેવાને કારણે રિવરફ્રન્ટની આજુબાજુના વિસ્તારોમાં પાણીના સ્તરમાં પણ વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 89

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    રિવરફ્રન્ટની આસપાસમાં વસતા લોકો સેવા વસ્તીની રોજ બરોજની પાણીની જરૂરિયાત પણ રિવરફ્રન્ટના પાણીના લીધે સંતોષાય છે.

    MORE
    GALLERIES

  • 99

    વાસણા બેરેજમાં પાણીના સ્ટોરેજથી અમદાવાદના 111 ગામોને પાણી મળશે

    આ ઉપરાંત અમદાવાદના વિવિધ વિસ્તારોને પાણી પૂરું પાડવા માટે સાબરમતી નદીમાં બનાવેલા ફેંચવેલમાં મોટાપ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે. જેને ટ્રીટ કર્યા બાદ શહેરીજનોને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES