Home » photogallery » gujarat » સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

Sweety Patel Case : કરજણમાંથી ગુમશુદા સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુરૂવારે પીઆઈ દેસાઈએ નાર્કો ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો

विज्ञापन

  • 17

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    અમદાવાદ : કરજણના સ્વીટી પટેલના (Sweety Patel) ગુમ (Missing) થયાના 49 દિવસ બાદ પણ રહસ્ય ઉકેલાયું નથી ત્યારે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને (ahmedabad crime Branch) સ્વીટી પટેલના પતિ અને પૂર્વ પીઆઈ અજય દેસાઈના (PI Ajay Desai) કરજણ સ્થિતિ બંધ મકાનના બાથરૂમમાંથી મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાના પગલે સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 27

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    અખબારી અહેવાલો મુજબ સ્વીટી પટેલના પીઆઈ પતિના કરજણના મકાનમાં તપાસ કરવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને લોહીના ડાઘા મળી આવ્યા છે. જોકે, આ લોહીના ડાઘાના સેમ્પલ એફએસએલ એટલે કે ફોરેન્સિક રિસર્ચ કરી અને સ્વીટી પટેલના છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    બીજી બાજુ ગુરૂવારે પીઆઈ દેસાઈએ આ મામલે થનારા નાર્કો ટેસ્ટ માટે અસંમતિ દર્શાવી હતી. પોતાના તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી અને દેસાઈએ આ મામલે નાર્કો ટેસ્ટ આપવાનો ઇન્કાર કરી દેતા શંકાની સોઈ તકાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 47

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસની નવેસરથી તપાસ કરી રહી છે. ક્રાઈ બ્રાન્ચે ગુમશુદા સ્વીટી પતિ પીઆઈ એ.એ. દેસાઈના કરજણ સ્થિતિ મકાનનું પંચનામુ કરહ્યુ હતું ઉપરાંત જે સ્થળેથી માનવ હાડકા મળી આવ્યા હતા તે જગ્યા અને મકાનનું પંચનામુ કર્યુ હતુ.

    MORE
    GALLERIES

  • 57

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં એફએસએલની તપાસ ઘણા મોટા રહસ્યો ઉકેલી શકે છે ત્યારે અગાઉ લેવાયેલા નમૂનાઓનો આગામી દિવસોમાં રિપોર્ટ આવશે. સ્વીટી પટેલ ગુમ થયાની થીયરી કરતા તેની હત્યા થઈ હોવાની થિયરી પર વધારે આશંકાઓ સેવાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 67

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    ગત 6 દિવસ પહેલાં વડોદરાની મુલાકાતે ગયેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસને તપાસ સોંપી હતી. તો દહેજના અટાલી ગામ પાસેથી 3 માળની અવાવરૂ બિલ્ડીંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    સ્વીટી પટેલ કેસ : કરજણમાં PIના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા? PIએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર

    પોલીસે આ મામલે ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ અને 17 વર્ષના પુત્ર રિધમની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે જોકે હજુ સુધી તેમને પણ આ અંગે કોઈ જાણકારી મળી નથી. જોકે, સ્વીટી પટેલના પુત્ર મુજબ તેનો પાસપોર્ટ રિન્યુ ન થયો હોવાથી તેના વિદેશ જવાની શક્યતાઓએ ખૂબ ઓછી હતી.

    MORE
    GALLERIES