ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર અમિત શાહે અમદાવાદથી આજથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યાં છે. આજે ભીજેપીનો સ્થાપના દિવસ પણ છે. જેથી ભાજપ આજના દિવસને જનસંપર્ક દિવસ તરીકે પણ ઉજવશે. આજે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમિત શાહ સવારથી જ વેજલપુર વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આજે સાંજે અમિત શાહ સાબરમતી વિધાનસભામાં પણ રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કરશે.
અમિત શાહે આજે સવારે સાડા 9 વાગ્યાથી વેજલપુર વિધાનસભાની વણઝાર સરખેજ ગામથી જનસંપર્ક શરૂ કર્યો હતો. બળિયાદેપ જોધપુર ચાર રસ્તા, શહિદચોકથી હવેલી સુધીનો આ રોડ શો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતાં. મહિલા કાર્યકરો ગરબા રમીને ઉત્સાહ વ્યક્ત કરીને તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શોમાં 'મોદી છે તો મુમકીન છે'નાં નારા પણ લાગ્યા હતાં.
અમિત શાહ 6, 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. 10 એપ્રિલે જૂનાગઢ અને પોરબંદર એમ બે બેઠકો માટે સવારે જૂનાગઢમાં ભાજપની પ્રચાર સભાને સંબોધશે. જ્યારે બારડોલી અને નવસારી બેઠકોને સાંકળી લેતી સોનગઢની સભાને પણ સંબોધશે