વિભુ પટેલ, અમદાવાદ: દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનોખી રીતે આઝાદીની ઉજણી કરાઈ હતી. ક્રુઝની જેટી પર ધ્વજવંદન કરી અનાથ બાળકોને ક્રુઝમાં ફીમાં સફર કરાવવામાં આવી હતી. બાળકો પણ ક્રુઝમાંથી રિવરફ્રન્ટનો નજારો માણી ખુશ થયા અને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સામેલ થયા.
સેકેટરી પવન જૈનને ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વનો છે અને દેશમાંથી લોકો ગરીબીમાંથી આઝાદ થાય તેવો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ત્યારે અમારો પણ પ્રયાસ છે કે, અનાથ બાળકો પણ પોતો ભયથી આઝાદી મેળવે. અનાથ બાળકો પોતાનો પરિવાર છે. તેને એજ્યુકેશનનો ભય ન રહે, તેને આર્થિક ભય ન રહે અને અનાથ બાળકો પોતાની ચિંતામાંથી આઝાદ રહે તેવા પ્રયાસ છે. આજે અનાથ બાળકો પહેલી વખત ક્રુઝની સફર માણી છે.
ક્રુઝના મલિક રાજીવ સેંગરે ન્યુઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર સહેલાણીઓ ક્રુઝની મજા લઈ શકશે.આજથી પ્રવાસીઓ માટે ક્રુઝની સફર શરૂ થઈ છે.મેન્ટેનન્સ માટે ક્રુઝને બહાર મોકલવામાં આવ્યું હતું.પેસેન્જર ક્રુઝ બોટનું મેન્ટેનન્સ થયા બાદ પરત અમદાવાદ આવી ગયું છે.અને પેસેન્જર ક્રુઝ બોટમાં બેસી સહેલાણીઓ રિવરફ્રન્ટનો નજારો માણી શકશે