Home » photogallery » gujarat » ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા લૂટાયા છે : પરેશ ધાનાણી

विज्ञापन

  • 14

    ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

    પ્રણવ પટેલ, ગાંધીનગર : અપ્રમાણસર વરસાદથી થયેલ નુકસાન અંગે આજરોજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ, કેશોદ તાલુકાના બામણાસા, સરોડ, અખોદર, બાલાગામ, માંગરોળ તાલુકાના ઓસા ઘેડ તેમજ માળિયા હાટીના તાલુકાના ગડુ ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને થયેલ નુકસાનની માહિતી મેળવીને ખેડૂતોને વેદના સાંભળી હતી.

    MORE
    GALLERIES

  • 24

    ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

    વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે વંથલી તાલુકાના ટીનમસ ગામે રોડ કાંઠે છગનબાપાના ખેતરની મુલાકાત લીધી હતી. છગનબાપા 10 વીઘાના ખાતેદાર ખેડૂત છે. તે મોંઘા ભાવનું મગફળીનું બિયારણ લાવ્‍યા હતા. 1700થી 2500 રૂપિયાના મણ ભાવે દાણા મળતા હતા. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, ખેડ, મજુરી આ બધું થયા પછી આજે 4 સપ્‍ટેમ્‍બરના રોજ ખેતરના પડામાં ઉભા છીએ ત્‍યારે મગફળી જ્‍યાં એક ખાંડી એટલે 20 મણ ઉતારો આવવાની અપેક્ષા હતી તેના બદલે બિયારણના પૈસા પણ પાછા ના મળે તેવી સ્‍થિતિ છે. અરે બિયારણ તો એકતરફ રહ્યું ઢોરના મોઢે પાલો પણ નહીં થાય એવી લીલા દુકાળની પરિસ્‍થિતિનો વિસ્‍તારના લોકો સામનો કરી રહ્યા છે. જ્યા સોયાબીનનો 15-70-20 મણનો ઉતારો થવાની ગણતરી હતી, ત્‍યાં આજે સામે છોડ છે, પરંતુ ખેતરના સારામાં સારા છોડમાં એક સિંગનો દાણો દેખાતો નથી. મારો જગતનો તાત કરશે શું?

    MORE
    GALLERIES

  • 34

    ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

    આજે રાજ્યમાં ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થઈ ગયા છે. વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિ અને કુદરત રૂઠતા ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા છે. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતમાં ગામેગામ ખેડૂતના દીકરા એવા છગનબાપાની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એક તરફ સરકાર સત્તાના મદમાં ભાન ભૂલી લોકોની સમસ્‍યાઓની અનદેખી કરી રહી છે. બીજી બાજુ જગતનો તાત ઉછીના વ્‍યાજે રૂપિયા લાવી મોંઘા ખાતરણ, બિયારણ દવા લાવીને વાવેતર કરેલ, કુદરત પાસે અપેક્ષા હતી કે 16 આની વરસ થશે તો જીવનના બે છેડા ભેગા થશે. કમનસીબે કુદરત પણ આજે કોપાયમાન થઈ છે.

    MORE
    GALLERIES

  • 44

    ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા : પરેશ ધાનાણી

    જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં 162% કરતાં વધુ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત જ્‍યાં જુઓ ત્‍યાં વરસાદે તબાહી બચાવી છે અને અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા ખાતર, બિયારણ, દવા, ખેડ, પાણી અને મજૂરીમાં ખેડૂતોના તણાઈ ગયા છે ત્‍યારે સત્તાના મદમાં ભાન ભૂલેલ ભાજપ સરકારે તાત્‍કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ તેવી માંગણી ધાનાણીએ કરી હતી.

    MORE
    GALLERIES