Home » photogallery » gujarat » Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

ભૂકંપે માત્ર કચ્છ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓ સહિત પાકિસ્તાન સુધી અસર પહોંચાડી હતી. સત્તાવાર આંકડા મુજબ 2001ના એ ભૂકંપમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જો કે, સ્થાનિકે લોકોના માણવા મુજબ 30 હજાર જેટલા લોકોના મોત આ ભૂકંપમાં થયા હતા.

विज्ञापन

  • 16

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    Kutch: તુર્કી અને સીરિયા પર ત્રાટકેલા ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી મૂકયું છે. સોમવારે સવારે ત્રાટકેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી પાંચ હજારથી વધારે મોત થઈ હોવાનો આંકડો મળ્યો છે તો આ આંકડો હજુ પણ વધશે તેવી આશંકા છે. અખાતના આ બે દેશોમાં ભૂકંપે સર્જેલી પરિસ્થિતિએ કચ્છમાં 2001ના ભૂકંપની એ કડવી યાદો તાજા કરી છે. તુર્કીની જેમ જ કચ્છની ધરા પણ 7.6ની તીવ્રતાથી ધ્રુજી ઉઠી હતી.

    MORE
    GALLERIES

  • 26

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    જાન્યુઆરી 26, 2001નો દિવસ કચ્છના ઇતિહાસમાં એક કાળમુખો દિવસ તરીકે ગણવામાં આવે છે. સવારે 8.46 વાગ્યે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી દક્ષિણ પશ્ચિમી દિશામાં નવ કિલોમીટર દૂર 7.6ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ભૂકંપના એ જોરદાર ઝટકાથી થોડી જ ક્ષણોમાં મોટાભાગની ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

    MORE
    GALLERIES

  • 36

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા. કોઈ પોતાના હાથમાં પરિવારજનોના મૃતદેહ લઈને સ્મશાને પહોંચી રહ્યા હતા તો જેમણે એકથી વધારે પરિવારજનોને ખોયા હતા તેઓ હાથગાડીમાં મૃતદેહો ઉંચકીને સ્મશાને પહોંચી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી તો કબ્રસ્તાનોની જમીન ટુંકી પડી રહી હતી.

    MORE
    GALLERIES

  • 46

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    ભૂકંપે માત્ર કચ્છ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓ સહિત પાકિસ્તાન સુધી અસર પહોંચાડી હતી. સત્તાવાર આંકડા મુજબ 2001ના એ ભૂકંપમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જો કે, સ્થાનિકે લોકોના માણવા મુજબ 30 હજાર જેટલા લોકોના મોત આ ભૂકંપમાં થયા હતા.

    MORE
    GALLERIES

  • 56

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    2001નો કચ્છ ભૂકંપ ભારતનો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશકારી ભૂકંપ સાબિત થયો હતો. આજે પણ એ ગોઝારી સવારની યાદ એક જૂના ઝખ્મની જેમ મનના કોઈ અંધારા ખૂણે દટાયેલી છે. તુર્કી પર ત્રાટકેલા ભૂકંપે ફરી એ કડવી યાદને તાજા કરી છે.

    MORE
    GALLERIES

  • 66

    Turkey Earthquake: જ્યારે ભયાનક ભૂકંપે તુર્કીની જેમ કચ્છને ધમરોળ્યું હતું, જાણો કેટલા લોકોના થયા હતા મોત!

    2001નો કચ્છ ભૂકંપ ભારતનો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશકારી ભૂકંપ સાબિત થયો હતો. આજે પણ એ ગોઝારી સવારની યાદ એક જૂના ઝખ્મની જેમ મનના કોઈ અંધારા ખૂણે દટાયેલી છે. તુર્કી પર ત્રાટકેલા ભૂકંપે ફરી એ કડવી યાદને તાજા કરી છે.

    MORE
    GALLERIES