ઈશાન પરમાર, હિંમતપુર : સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના (rain eater in farm) કારણે ખેડુતોની (Farmer) હાલત કફોડી બની ગઈ છે. મગફળી (peanut farming) તો ઠીક પણ ઘાસચારો પણ હાલ તો પશુઓને ખાવા લાયક નથી રહ્યો. જેને લઈને ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા હવે ખેડૂતો વરસાદ ક્યારે બંધ થાય તેની રાહ જોઇ રહ્યા છે. ખેડૂતો મેઘરાજાને વરસાદ બંધ કરવા માટે કરગરી રહ્યા છે.
સાબરકાંઠા જીલ્લાના ખેડુતોની હાલની સ્થિતી તો દયનીય ભાખી રહી છે અને જેના કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યુ છે. જીલ્લામાં સૌથી વધુ મગફળીનુ વાવેતર છે. તો આ ઉપરાંત કપાસ, કઠોળ હોય કે શાકભાજીના પાકોનું પણ વાવેતર કર્યુ છે. પરંતુ વરસાદે ખેડુતોના હાલ બેહાલ છે. સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડુતોનો પાક પાણી પાણી થઈ ગયો છે. વાત કરીએ મગફળીની તો મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે અને જેમાં ભારે નુકશાન થયુ છે. તો તેનો ઘાસચારો પણ બગડી ગયો છે જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. તો માર્કેટમાં વેચવા જતા પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી જેને લઈને ખેડુતોની હાલત કફોડી બની છે.
હિંમતપુરના ખેડુત, પિન્ટુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, આમ તો ખેડુતોને પહેલા વરસાદ પાછો ખેચાયો ત્યારે મહા મહેનતે મોઘીદાટ દવાઓ, ખાતર અને બિયારણ નાંખી પાક ઊભો કર્યો પરંતુ પાછોતરો વરસાદ પડતા જ પાકને નુકસાન થઈ રહ્યુ છે. આમ તો અત્યારે મગફળી તૈયાર થઈ ગઈ છે. જે ખેડુતો મગફળી કાઢે છે તેના પર વરસાદ પડતા મગફળી બગડે છે તો જે મગફળી ખેતરમાં છે તે મગફળી ખેતરમાં જ ઉગી નિકળે છે. તેનાથી પણ ખેડુતોના ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. હજુ તો વરસાદની આગાહી છે તો જે બચેલો પાક છે તે પણ નષ્ટ થઈ જશે તેવી ભિતી છે.