

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 675 કેસ નોંધાયા છે. જેની સામે 851 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4340 થયો છે. આજે રાજ્યમાં કુલ 47,506 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.10 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 129, સુરતમાં 123, વડોદરામાં 121, રાજકોટમાં 90, જૂનાગઢમાં 22, જામનગરમાં 20, મહેસાણમાં 17, કચ્છમાં 16, ગાંધીનગરમાં 14, ગીર સોમનાથમાં 13, દાહોદ, ખેડામાં 12-12, પંચમહાલમાં 10, બનાસકાંઠા, નર્મદામાં 9-9 સહિત સહિત કુલ 675 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરત, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 151, સુરતમાં 159, વડોદરામાં 241, રાજકોટમાં 87, મહેસાણામાં 23, કચ્છમાં 21, ગાંધીનગરમાં 20, જૂનાગઢમાં 18, ખેડામાં 17 સહિત 851 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)